Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

   ધરમપુર ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

 ખેરગામ : તા.17/04/2023  

 મહાન વિશ્વવિભૂતિ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાન નિર્માતા,મહાનાયક, શ્રીમુક્તિદાતા, સમગ્રમાનવ જાતિના ઉદ્ધારક, મહાન ઇતિહાસકાર, પ્રખર અર્થશાસ્ત્રી,પ્રચંડ વિધ્વત્તા, યુગ પુરૂષ,ક્રાંતિ સૂર્ય,મહામાનવ, વિશ્વ ભૂષણ,બૌધ્ધિસત્વ, પરમપૂજય, વંદનીય ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા પાલિકાની કચેરી સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ૧૩૨મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે આદિવાસી સમાજના કમલેશભાઈ પટેલ, કલ્પેશ પટેલ, ધીરજ પટેલ, સહિત મોટી સંખ્યામા આદિવાસી ભાઈઓઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજીતરફ માલનપાડા આંબેડકરનગરમાં ડો. બાબાસાહેબ આંબેડકરનીપ્રતિમા આગળ પૂર્વ કોર્પોટેરસુરેશભાઈ ગાયકવાડ સહિતઆંબેડકર નગરના રહેણાંકોએ પુષ્પહાર હાર પહેરાવી ડો.બાબા સાહેબની જન્મ જ્યંતી ઉજવી હતી. 

           

પ્રશ્ન : વિશ્વભરમાં કેટલા દેશો આંબેડકર જયંતિ ઉજવે છે?

 વિશ્વમાં લગભગ 100 દેશો દર વર્ષે ડૉ. આંબેડકર જયંતિ (જન્મદિવસ) ઉજવે છે.  2016માં, 102 દેશોમાં 125મી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

reference : NASHIK CORPORATION. IN 


પ્રશ્ન: વિશ્વનો સૌથી મોટો તહેવાર જયંતિ તરીકે ઉજવાય છે? 

 દેશભરમાં 14મી એપ્રિલે ઉજવાતી ડૉ. આંબેડકર જયંતિએ વિશ્વની સૌથી મોટી જયંતી છે.  

પ્રશ્ન : ડૉ બી.આર. આંબેડકરની જન્મ તારીખ કઈ છે?  

ડૉ. બી.આર. આંબેડકરની જન્મ તારીખ 14મી એપ્રિલ 1891 છે. ભારતીય બંધારણ ઘડવામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આંબેડકર જયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

ઝારખંડના હજારીબાગ ખાતે ભારતના માનનીય કેન્દ્રીયગૃહ અને સહકારમંત્રીશ્રી અમિત શાહની અધ્યક્ષતા ૫૯મી રાઇઝિંગ ડે પરેડ યોજાઈ.

ઝારખંડના હજારીબાગ બીએસએફ તાલીમ કેન્દ્ર,શાળા અને મેરુ કેમ્પ ખાતે ૫૯મી રાઇઝિંગ ડે પરેડ. ઝારખંડના હજારીબાગ ખાતે ભારતના માનનીય કેન્દ્રીયગૃહ અને સહકારમંત્રીશ્રી અમિત શાહની અધ્યક્ષતા ૫૯મી રાઇઝિંગ ડે પરેડ યોજાઈ. માનનીય કેન્દ્રીય મંત્રીએ દળના જવાનોને શૌર્ય માટે પોલીસ મેડલથી નવાજ્યા BSFની 16 બટાલિયનને 'જનરલ ચૌધરી ટ્રોફી' એનાયત 142 બટાલિયન BSFને 'LWE ઓપરેશન્સ માટે ડાયરેક્ટર જનરલનું બેનર' એનાયત કરાયું જમ્મુ ફ્રન્ટિયરને 'મહારાણા પ્રતાપ ટ્રોફી બેસ્ટ ફ્રન્ટિયર ઇન બોર્ડર મેનેજમેન્ટ' અને 'અશ્વિની કુમાર ટ્રોફી ફોર એક્સલન્સ ઇન ટ્રેનિંગ એન્ડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ' એનાયત ફિલ્ડ જી ટીમ કુપવાડાને બેસ્ટ ફીલ્ડ જી ટીમ માટે ડાયરેક્ટર જનરલની ટ્રોફી એનાયત કરવામાં આવી. 1લી ડિસેમ્બર 2023 ના રોજ, ભારતની પ્રથમ રક્ષાની લાઇન, બોર્ડર સિક્યુરિટી ફોર્સે BSF ટ્રેનિંગ સેન્ટર અને સ્કૂલ મેરુ કેમ્પ હજારીબાગ (ઝારખંડ) ખાતે 59માં ઉદય દિવસની ઉજવણી માટે ઔપચારિક પરેડનું આયોજન કર્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, વિશ્વની સૌથી મોટી સરહદ રક્ષક દળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની 6386.36 કિમી આંતરરાષ્ટ્રીય ...