Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી.

  

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી.

ખેરગામ :

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ધનસુખભાઈ  પટેલ (નિવૃત એગ્રિકલ્ચર ડિરેક્ટર) દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય અને કોપ્મ્પુટર રૂમની પ્રતિમા પાસે દિપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું. આજે તેમનો પણ જન્મ દિવસ છે. તેઓ દર વર્ષે તેમનો જન્મ દિવસ આ સમાજ ભવન ખાતે અચૂક હાજર રહી ઉજવે છે. ત્યારબાદ હાજર  રહેલ મંડળનાં પ્રમુખશ્રી રાજેન્દ્ર સાહેબ, મંત્રીશ્રી નટુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, કેશવભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ તથા  કમિટિ સભ્યો અને ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ડો.બાબા સાહેબને પુષ્પાંજલી આપવામાં આવી હતી. શ્રી રાજેન્દ્ર સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન  દ્વારા ડો. બાબા સાહેબનું જીવન વૃતાંત તેમજ આપણા જીવનમાં બાબા સાહેબ નિર્મિત ભારતીય બંધારણનું શું મહત્વ છે? તેનો ટૂંક્મા સાર રજૂ કરવામાં આવ્યો હતો.  



 

Comments