Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.



શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું.

જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.

ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ અને સમાજના આગેવાન શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા સમાજ ભવનનાં નિર્માણ માટે સૌ પ્રથમ રૂ. ૧૧૧૧૧/- અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.ત્યારબાદ વલસાડ પોલીટેકનિક કોલેજના પ્રોફેસર નિરલ પટેલ દ્વારા પણ ₹ ૧૧૧૧૧ રૂપિયા ભવન નિર્માણ માટે દાન પેટે આપવામાં આવ્યાં હતાં. સમાજ ભવનનાં નિર્માણ ખાતમુહૂર્ત વખતે ₹ ૧,૧૧,૧૧૧ રૂપિયા દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આને સાથે સાથે સમાજ મંડળને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.  શ્રી ધોડિયા પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ દ્વારા સમાજ ભવનનાં નિર્માણ માટે દોઢ વીઘુ જમીન ટોકન પેટે રકમ લઈને દાન કરવામાં આવી છે.જેની જાહેરાત થતાં જ સંમેલનમાં ઉપસ્થિત સૌએ તાળીઓ પાડી વધાવી લીધી હતી. અને તેમણે સમાજનાં સૌ સભ્યોને સહયોગ અને સહકાર આપવાની અપીલ કરી હતી. 

આ વાર્ષિક સ્નેહ સંમેલનમાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ સુરખાઇનાં પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, ટ્રાઈબલ ડેપ્યુટી કમિશનર શ્રી સુરેશભાઈ ગરાસિયા ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, વેપારી મંડળનાં પ્રમુખશ્રી અમ્રતભાઈ પટેલ, નિવૃત લાઈબ્રેરી નિયામકશ્રી દિનેશભાઈ પટેલ, ડૉ. ગુલાબભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પ્રશાંતભાઈ પટેલ, રમેશભાઈ સી પટેલ,  આર. ડી પટેલ નિવૃત્ત ઈજનેર જેટકો. ડો. ગુલાબભાઇ,  ડો. રાકેશભાઈ, ડો. રામભાઈ, ડો. જગદીશભાઈ,  યોગેશ ભાઈ પટેલ  સરકારી વકીલ ચીખલી,   ડો. વિરેન્દ્ર ભાઈ ગરાસીયા,  રાજુભાઈ પટેલ સદગુરુ ફામૅ, ચેતનભાઈ પટેલ વાડ, નટુભાઈ પટેલ માજી સરપંચશ્રી ખેરગામ  તેમજ સમાજના અગ્રગણ્ય આગેવાનો હાજર રહ્યા હતા. 

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળના હોદ્દેદારો

શ્રી કૌશિકભાઈ બી. પટેલ (પ્રમુખશ્રી)

શ્રી અમ્રતભઆઈ એમ. પટેલ‌ (ઉપ પ્રમુખશ્રી)

શ્રી જગદીશભાઈ એમ. પટેલ (મંત્રીશ્રી)

શ્રી નિલેશભાઈ કે. પટેલ (ઉપર મંત્રીશ્રી)

શ્રી અશોકભાઈ પટેલ (ખજાનચીશ્રી)






Comments

Popular posts from this blog

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

     વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

  Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

    Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.