Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.



શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું.

જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.

ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ અને સમાજના આગેવાન શ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા સમાજ ભવનનાં નિર્માણ માટે સૌ પ્રથમ રૂ. ૧૧૧૧૧/- અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.ત્યારબાદ વલસાડ પોલીટેકનિક કોલેજના પ્રોફેસર નિરલ પટેલ દ્વારા પણ ₹ ૧૧૧૧૧ રૂપિયા ભવન નિર્માણ માટે દાન પેટે આપવામાં આવ્યાં હતાં. સમાજ ભવનનાં નિર્માણ ખાતમુહૂર્ત વખતે ₹ ૧,૧૧,૧૧૧ રૂપિયા દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આને સાથે સાથે સમાજ મંડળને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.  શ્રી ધોડિયા પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ દ્વારા સમાજ ભવનનાં નિર્માણ માટે દોઢ વીઘુ જમીન ટોકન પેટે રકમ લઈને દાન કરવામાં આવી છે.જેની જાહેરાત થતાં જ સંમેલનમાં ઉપસ્થિત સૌએ તાળીઓ પાડી વધાવી લીધી હતી. અને તેમણે સમાજનાં સૌ સભ્યોને સહયોગ અને સહકાર આપવાની અપીલ કરી હતી. 

આ વાર્ષિક સ્નેહ સંમેલનમાં શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ સુરખાઇનાં પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, ટ્રાઈબલ ડેપ્યુટી કમિશનર શ્રી સુરેશભાઈ ગરાસિયા ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, વેપારી મંડળનાં પ્રમુખશ્રી અમ્રતભાઈ પટેલ, નિવૃત લાઈબ્રેરી નિયામકશ્રી દિનેશભાઈ પટેલ, ડૉ. ગુલાબભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પ્રશાંતભાઈ પટેલ, રમેશભાઈ સી પટેલ,  આર. ડી પટેલ નિવૃત્ત ઈજનેર જેટકો. ડો. ગુલાબભાઇ,  ડો. રાકેશભાઈ, ડો. રામભાઈ, ડો. જગદીશભાઈ,  યોગેશ ભાઈ પટેલ  સરકારી વકીલ ચીખલી,   ડો. વિરેન્દ્ર ભાઈ ગરાસીયા,  રાજુભાઈ પટેલ સદગુરુ ફામૅ, ચેતનભાઈ પટેલ વાડ, નટુભાઈ પટેલ માજી સરપંચશ્રી ખેરગામ  તેમજ સમાજના અગ્રગણ્ય આગેવાનો હાજર રહ્યા હતા. 

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળના હોદ્દેદારો

શ્રી કૌશિકભાઈ બી. પટેલ (પ્રમુખશ્રી)

શ્રી અમ્રતભઆઈ એમ. પટેલ‌ (ઉપ પ્રમુખશ્રી)

શ્રી જગદીશભાઈ એમ. પટેલ (મંત્રીશ્રી)

શ્રી નિલેશભાઈ કે. પટેલ (ઉપર મંત્રીશ્રી)

શ્રી અશોકભાઈ પટેલ (ખજાનચીશ્રી)






Comments

Popular posts from this blog

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

   ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભાઇ, મયુર, ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મ...

નાગાલેન્ડના ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડાંગનો યુવાન ' ડુંગરદેવ' ગીતથી છવાયો.

  નાગાલેન્ડના ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડાંગનો યુવાન ' ડુંગરદેવ' ગીતથી છવાયો. ગુજરાતના પ્રથમ આદિવાસી રેપર, કામડીએ હોર્નબિલ ઉત્સવમાં પરંપરાગત ડાંગી રિધમ અને ડાંગ ના ડુંગર દેવ (ડાંગના પર્વત દેવ) સાથે સંકળાયેલ ગીત ગાઈને  તેમની અનન્ય પ્રતિભા દર્શાવી હતી. ગુજરાતના ડાંગના આદિવાસી અંતરિયાળ વિસ્તારના આદિવાસી રેપર ટીઆર કામડીએ નાગાલેન્ડમાં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડુંગર દેવ (ડુંગર દેવ) ગીતની રજૂઆત સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાગાલેન્ડ સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય હોર્નબિલ ફેસ્ટિવલ 1લી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી ચાલે છે અને સમગ્ર ભારતમાં નોંધપાત્ર લોકપ્રિયતા ધરાવે છે. દેશ અને વિદેશના અસંખ્ય પ્રવાસીઓને કાશીમા, નાગાલેન્ડ તરફ ખેંચીને, આ વર્ષના ઉત્સવમાં ડાંગના ડાંગી બોય ટીઆર દ્વારા અસાધારણ પ્રદર્શન જોવા મળ્યું, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આદિવાસી જૂથો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓમાં, ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સંવાદ રિધમ ઓફ ધ અર્થ ગ્રૂપ, લદ્દાખના આદિવાસી દાસુગ બેન્ડ સાથે, તેમના સાંસ્કૃતિક કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિધમ ગ્રુપમાં ગુ...

વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો

       વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.  આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.               ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, વેશભૂષા, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જ...