Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

    


તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીક્યા વાવાઝોડાંને કારણે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આવશ્યક કામગીરી સોંપાતા તેઓ હાજર રહી શક્યા નહોતા. પરંતુ પાટી કલ્સ્ટરનાં સી.આર.સી શ્રીમતિ ટીનાબેન, આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતિ વનિતાબેન, ખેરગામ તાલુકા પંચાયત સભ્યશ્રી  વિભાબેન જે. પટેલ , એસ.એમ.સી. સભ્યો, વાલીઓ, ગ્રામજનો હાજર રહી પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો. હાજર રહેલા તમામ મહેમાનોનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું.

બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને આપવામાં આવ્યો હતો. બાલવાટિકનાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

 કાર્યક્રમને અંતે શાળા પરિવારે સૌનો આભર વ્યક્ત કરી મહેમાનો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતુ.













Comments