Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ તાલુકાના પ્રા. શિક્ષકોની બાલવાટિકા શિક્ષક સજ્જતા તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ.

    

ખેરગામ તાલુકાના બાલવાટિકા શિક્ષકોની સજ્જતા  તાલીમ બહેજ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. તારીખ ૨૬/૦૬/૨૦૨૩ થી તારીખ ૨૮/૦૬/૨૦૨૩ દરમ્યાન બાલવાટિકાનાં શિક્ષકો માટે બાલવાટિકાનાં બાળકો માટેના અભ્યાસક્રમ માટેની શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ હતી. ખેરગામ તાલુકાની 52 શાળાનાં ધોરણ ૧ થી ૫નાં શિક્ષકોમાંથી એક શિક્ષક  તાલીમમાં હાજર રહ્યા હતાં. આ તાલીમમાં નવસારી શિક્ષણ અને તાલીમ ભવનનાં લેકચરરશ્રી ડૉ. પ્રકાશભાઈ પટેલ,બી.આર.સી. વિજયભાઈ પટેલ, તજજ્ઞ મિત્રોમાં પ્રજ્ઞા ખેરગામ તાલુકા બી..આર.પી. નિમિષાબેન આહિર, પાટી સી.આર.સી.ટીનાબેન પટેલ, પાણીખડક સી.આર.સી વૈશાલીબેન સોલંકી, ખેરગામ સી.આર.સી ભાવિકાબેન પટેલ ત્રણ દિવસની તાલીમ દરમ્યાન હાજર રહી તાલીમાર્થીઓને જ્ઞાનનું ભાથું પીરસ્યું હતું. ત્રણ દિવસીય દરમ્યાનની તાલીમના પ્રથમ દિવસે તેમના દ્વારા રમતો, બાળગીતો, પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે સાથે બાલવાટિકાની learning outcome (LO) ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકોની યાદશક્તિ વિકાસની પ્રવૃત્તિઓમાં આંખો બંધ કરી આજુબાજુનાં વાતાવરણમાં કયા કયા આવજો સંભળાયા અને કેટલા અવાજો સંભળાયા તેની નોંધ કરાવવામાં આવી. 

બીજા દિવસની તાલીમની શુભ શરૂઆત બહેનોના કોકિલ કંઠે પ્રાર્થના, ભજન અને ધૂન દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ઉપલી બેજઝરી પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રીમતી સાધનાબહેન પટેલ દ્વારા રજૂ કરાયેલ  "ઓ પતંગિયા મને શીખવી જાજે ઊડવાનું" ગીત તમામ શિક્ષકોને ડોલાવી દીધા હતા. તમામ શિક્ષકોને ગૃપમાં વર્ગીકૃત કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેના ભાગરૂપે દરેક ગૃપને વિવિધ મૃત વસ્તુઓ આપવામાં આવી હતી તેના દ્વારા પ્રાણી કે પક્ષીઓના આકાર બનાવવાના હતા તેને સમય મર્યાદામાં પૂર્ણ કરાવી ગૃપે બનાવેલા પસંદગીના ચિત્ર  પાછળના કારણો રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.   ત્યારબાદ તેનું વર્ગ સમક્ષ રજુ કરી તેના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. 

વાડ મુખ્ય શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પટેલ દ્વારા હાવભાવ સાથે વાર્તા રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસના અંતે આપવામાં આવેલ  હોમવર્ક ઊંટના ચિત્રમાં ચિટકકામ કરી બીજા દિવસના પ્રથમ સેશનમાં ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તજજ્ઞો મિત્ર દ્વારા પ્રશ્નોતરી સેશન દરમ્યાન શિક્ષકો પાસેથી કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા બાળકોની માનસિક, શારીરિક, બૌધિક,વૈચારિક શક્તિનો વિકાસ કરી શકાય તેના જવાબો મેળવવામાં આવ્યા અને તેની નોંધ કરવામાં આવી. ત્યારબાદ સાત ખંડના નામના ગૃપ બનાવી દરેક ગૃપને ત્રણ શબ્દો આપવામાં આવ્યા હતા. તે શબ્દોનો ઉપયોગ કરી દશ મિનિટમાં વાર્તા લેખન કરવાનું હતું તે કાર્ય બખૂબી દશ મિનિટમાં પૂર્ણ કરી વારાફરતી વર્ગ સમક્ષ રજૂ કરી તેના પ્રતિભાવો( સારી- નરસી બાબતો, ઉમેરવા લાયક  બાબતો)  દરેક ગૃપ પાસેથી લેવામાં આવ્યા હતા. 


વચ્ચે વચ્ચે તાલીમને રસપ્રદ બનાવવા બાળગીતની પણ રમઝટ ચાલતી!! થોડા થોડા સમયના અંતરે ડૉ.પ્રકાશભાઈ પટેલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવતું હતું. બી.આર.સી.વિજયભાઈ પટેલ દ્વારા પણ વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી  સમાજ સમક્ષ શિક્ષકોએ કેવી રીતે સારી છાપ છોડી શકાય તેની રમૂજી શૈલીમાં ટકોર કરી હતી. ત્રીજા દિવસના તાલીમ દરમ્યાન મોડ્યુલ આધારિત કરવાની પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. ત્રીજા દિવસની તાલીમની શુભ શરૂઆત પ્રથમ દિવસે તાલીમના શરૂઆત પ્રાર્થના ભજન અને ધૂન દ્વારા કરવામાં આવી. ત્યાર બાદ ચિમનપાડા પ્રા.શાળાના શિક્ષિકા ભાવનાબેન અભિનય સાથે બાળગીત રજૂ કરવામાં આવ્યું.ત્યાર બાદ તજજ્ઞ મિત્રો દ્વારા તમામ ગૃપને HW, EC, અને IL LO ની  વહેચણી કરી  તેમાં  કઈ કઇ પ્રવૃત્તિઓ, રમતો, જોડકણાં, બાળગીત નો સમાવેશ થાય છે. તેની નોંધ કરાવી દરેક ગૃપનાં બે તાલીમાર્થીઓ પાસે રજુઆત કરવી અન્ય શિક્ષકો પાસે તેની નોંધ કરાવી હતી. તાલીમના પ્રથમ દિવસે ઓનલાઇન પ્રી ટેસ્ટ અને અને અંતિમ દિવસે ઓનલાઇન પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. ત્રીજા દિવસની તાલીમનાં છેલ્લા સેશનમાં ડો.પ્રકાશભાઈ પટેલ સાહેબે સાંપ્રત પરિસ્થિતીને ધ્યાનમાં રાખી પોઝીટીવ રીતે શિક્ષણ કાર્ય કરવા પ્રોત્સાહન પૂરુ પાડ્યુ હતું.










Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડ...