Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો.

                                        


 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનાબીજા દિવસે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીર ખેરગામ તાલુકાના આછવણી, નીચલી બેજઝરી, પણંજ અને મોટી કોલવાડ પણંજ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને કુમકુમ તિલક કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ નામાંકન કરાવ્યું હતું.


આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવે બાળકોના શૈક્ષણિક જીવનનું પ્રથમ પગથિયું છે. શિક્ષકો બાળકોને પાયાનું શિક્ષણ મજબૂત બનેતેવા પ્રયત્નો હાથ ધરવા ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે આધુનિકતા અને તકનીકનો ઉપયોગ કરી શિક્ષણને સર્વશ્રેષ્ઠ બનાવવા કમર કસી છે.ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે બાળક સમાજના મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ થકી લોકોને શિક્ષણ સાથે જોડવાનું કામ કર્યું છે.


પ્રારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કિટ, કંપાસ બોક્સ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરી હતી. ખેરગામ તાલુકાની આછવણી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧માં કુલ ૧૯ બાળકો, નીચલી બેજઝરીમાં કુલ ૦૨ બાળકો, પણંજ અને મોટી કોલવાડ પણંજમાં કુલ ૫૬ બાળકોને કુમકુમ તિલક કરી મહાનુભાવોને હસ્તે નામાંકન કરવામાં આવ્યું હતું.  














Comments