Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.

   


તારીખ :૧૨-૦૬-૨૦૨૩નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો.જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નવસારી જિલ્લા અને શિક્ષણ ભવનનાં લેકચરર શ્રી રાજેશભાઈ પટેલ સાહેબના હસ્તે શૈક્ષણિક કીટ દ્વારા ૧૩ બાળકોને પ્રવેશ આપવાની શુભ શરૂઆત કરી ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.  એક દાતાશ્રી તરફથી શાળામાં ભણતા તમામ ૪૭ બાળકોને બેગ સ્વરૂપે અંદાજિત 16000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખેરગામ સી.આર.સી.કો-ઓર્ડનેટર ભાવિકાબેન પટેલ ગામનાં સરપંચશ્રી પંકજભાઈ  નાયક, ગ્રામ પંચાયતનાં સભ્યો, એસ.એમ.સી.નાં અઘ્યક્ષ અજયભાઈ નાયક તથા સભ્યો, આંગણવાડી કાર્યકરો,વાલીઓ હાજર રહ્યા હતાં. શાળા પરિવારે ઉપસ્થિત તમામ મહેમાનો અને દાતાશ્રીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.











Comments