Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ કુમાર શાળા ખાતે કુમાર શાળા અને કન્યા શાળાનો સયુંક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો.

   


તારીખ ૧૨-૦૬-૨૦૨૩નાં દિને  કુમાર શાળા ખેરગામનાં પ્રાર્થના ખંડમાં કુમાર અને કન્યા શાળાના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..જેમાં  ગુજરાત રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ,ગાંધીનગર વિભાગમાંથી  શ્રી આર. કે. મોદી સાહેબ , જિલ્લા કક્ષાએથી નવસારીનાં પી. આઈ.  શ્રી કે.એલ.પટની સાહેબ, ખેરગામ તાલુકાના પી.એસ.આઈ. શ્રી પઢિયાર સાહેબ ઉપસ્થિત રહી શાળાનાં બાલવાટિકાનાં 33 બાળકો તથા ધોરણ 1 નાં 4 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આર. કે. મોદી સાહેબ બાલવાટિકાનાં બાળકો માટે સ્પેશિયલ ગાંધીનગરથી શૈક્ષણિક કીટ લાવ્યા હતા જેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં આ કાર્યક્રમમાં તા. પ.પ્રમુખશ્રી રક્ષાબેન  પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી લીનાબેન, ખેરગામનાં પૂર્વ સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, પત્રકાર મિત્રો, એસ,એમ,સી.સભ્યો, ખેરગામ તાલુકા પ્રથમિક શિક્ષક સંઘનં પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી,આર,સી. વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિપાવ્યો હતો.















Comments