Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

મામલતદાર કચેરી ખેરગામ ખાતે મધ્યાહન ભોજન અંતર્ગત મિટિંગ યોજાઈ.

  


તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી ખેરગામ ખાતે મુખ્ય શિક્ષકશ્રીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નિમ્ન લિખિત મુદ્દાઓની વિગતે સૂચના આપવામાં આવી હતી.

૧. જે પણ શાળાની રજીસ્ટર સંખ્યા અપડેટ કરવાની બાકી હોય એમણે તાત્કાલિક સંખ્યા અપડેટ કરવા અંગે સૂચના આપવામાં આવી.

૨. દરેક શાળા દ્વારા એન.જી.ઓ ના કર્મચારીને અપાતા વર્ધીના આકડાં તને અત્રેની કચેરીને અપાતા વર્ધીના આકડામાં તફાવત આવતો હોય તેમજ લાભાર્થી કરતા વધારે વર્ધી આપવા અંગેનાં કારણો વિશે ચર્ચા કરવામાં આવી.

૩. ઓનલાઇન DAILY ENTRY કરો છો ત્યારે ધોરણ ૧ થી ૫ માં બાલવાટિકાના બાળકોને ઉમેરીને એંટ્રી કરવી. તેમજ લાલ પીળા પત્રકો અને ઓનલાઈન કરવામાં આવતી સંખ્યા એકસરખી રહેવી જોઈએ .

મોર્નીંગ શાળા હોય તો ૧.૦૦ વાગ્યા સુધી અને આખા દિવસ હોય તો ૩.૦૦ વાગ્યા સુધીમા ફરજીયાત એટ્રી કરવા જણાવ્યું હતું.

૪. જે દિવસે શાળામાં તિથિ ભોજન રાખવામા આવેલ હોય તે દિવસે ખાસ ધ્યાન રાખવુ કે, તિથિ ભોજન પર ટિક એટલે કે ખરાની નિશાની કરવાનુ ચુકીના જવાય જેથી ઓનલાઇન આંકડામાં તફાવત ન આવે.

૫. જે શાળામાં મધ્યાહન ભોજન શાળાના સમય કરતા વહેલું આવી જાય ,ત્યારે ભોજન વ્યવસ્થિત જગ્યા પર મુકવા માટે જવાબદારી આપવી. તેમજ રજીસ્ટર બનાવી મધ્યાહન ભોજન સ્વીકારનારે ભોજન જોઈ સ્વીકાર્યાની સહી કરવી. ત્યારબાદ મુખ્યશિક્ષકશ્રી સહી કરવી. ભોજન લોક રૂમમાં રાખાવાનું રહેશે.

૬. માસના અંતે આપવાના પત્રકો જેમ કે લાલ પીળા પત્રકો,બાલ વાટીકાના પત્રકો, વર્ષી, સુખડી, દુધ સંજીવની, ફરીયાદ નિવારણ વગેરે માસની બીજી તારીખ સુધીમાં અત્રેની કચેરીએ ફરજીયાત જમા કરાવવાના રહેશે. (બધા પત્રકોમા સરવાળો કરવાનો રહેશે.)

૭.DAILY GOOGLE SHEET મા દૈનિક વિગત તેમજ વર્ધીની સંખ્યા નાખવાની રહેશે,

૮. જમવાના સમય કરતા મોડું મધ્યાહન ભોજન આવે તો અત્રેની કચેરીને લેખિત માં જાણ કરવી. 

ઉપરોક્ત તમામ સૂચનોનો કડક અમલ કરવા જણાવ્યું હતું. 

        આ મિટિંગમાં માર્ગદર્શન હેતુસર ખેરગામ ઇન્ચાર્જ  મામલતદારશ્રી સેહુલભાઈ પટેલ સાહેબ, ખેરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી વિમલભાઈ પટેલ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ અને મુખ્ય શિક્ષકો હાજર રહ્યાં હતાં 

Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024