Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
તા.08/08/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની એડવાન્સમાં શાળાના SMC સભ્યો, શિક્ષક મિત્રો, બાળકો અને વાલીઓ દ્વારા ભવ્ય ઊજવણી કરવામાં આવી.
આજના દિવસે શાળામાં વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જે શાળા શિક્ષકો દ્વારા બાળકોને માત્ર બે જ દિવસમાં કૃતિઓ તૈયાર કરાવી હતી તે બદલ શિક્ષકો મિત્રોનો ધરમપુર તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ પટેલ આભાર વ્યક્ત કરે છે.
આજના આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં SMCના અધ્યક્ષ અનિલ પવાર, SMCના સભ્યશ્રીઓ અશોક પટેલ, કૌશિક પટેલ, સ્મિતા પટેલ, અનિષા પટેલ, ફાલ્ગુની પટેલ, હરિલાલ પટેલ,અરવિંદ પટેલ,અનિલ પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ, સભ્યશ્રી ઉમેદભાઈ,મગનભાઈ,સુનિલભાઈ,નયનભાઈ, જયેશભાઇ, અને ગામના મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.
Comments
Post a Comment