Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસ ઉજવાયો.
તારીખ 15-08-2023ના દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળામાં સ્વતંત્રતા દિવસ ઉજવાયો. જેમાં ગામનાં આગેવાન જીવણભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમની લાગતી કૃતિઓ રજૂ કરી હતી. આ પર્વની ઉજવણી દરમ્યાન ભારતના લોકનાયકો, ક્રાંતિવીરો, શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગામનાં આગેવાનોમાં જીવણભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, જગદીશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો, ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment