Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
તા.11.08.23ના રોજ ડેબરપાડા પ્રાથમિક શાળામાં 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતમાંથી પધારેલ કર્મચારીઓ,ગ્રામપંચાયતના સભ્યો, તલાટીકમમંત્રીશ્રી, smcના અધ્યક્ષ શ્રી કાંતિલાલ પટેલ તથા સભ્યો, પોલીસ જવાનો, ગ્રામજનો તથા શાળાના બાળકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ શિલાફલકમ નું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા સૌ સાથે મળી લેવામાં આવી.
ત્યારબાદ વસુધાવન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ત્યાર બાદ ગ્રામના વીરોનું સન્માન કરવામાં આવ્યું... અને રાષ્ટ્રધ્વજ ફરકાવી ને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી... આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો , વાલીગણનો શાળાના આચાર્યશ્રી આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો..
Comments
Post a Comment