Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.
તારીખ : ૧૫-૦૮-૨ ૦૨૩નાં દિને તાલુકા પંચાયત કચેરી ખેરગામ ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રક્ષાબેન પટેલ,તાલુકા પંચાયતનાં સભ્યો, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, હિસાબી અધિકારી ભાવેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રષણભાઈ પટેલ, તમામ શાખાના કોમ્પ્યુટર ઓપરેટરશ્રીઓ, અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ વર્ષે ખેરગામ તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હોય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી ૧૪મી ઓગસ્ટની સાંજે યોજાયો હતો.જેમાં તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો.
Comments
Post a Comment