Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા વિધવા માતા - બહેનોને અને વિકલાંગ ભાઈ - બહેનોને કેસર કલમનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા દ્વારા આજ રોજ અનાસ - ખેંગ અને ટાંડા ગામમાં ગામ દીઠ 100 અને વ્યક્તિ દીઠ એક વિધવા માતા બહેનો અને વિકલાંગ ભાઈઓ અને માતા બહેનોને કેસર કેરી આંબાના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું જે બદલ આદિજાતિ પટેલીયા સમાજ વડોદરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી મહેશભાઈ રોઝ, ડે.સરપંચશ્રી રાકેશભાઇ, તાલુકા સભ્ય મેલાપ રોઝ, શિક્ષક ગુલાપ રોઝ, નિવૃત્ત મામલદારશ્રી જી.એસ.સાંગોડ સર તથા આદિજાતિ સમાજના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment