ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખેરગામ કુમાર શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.
ખેરગામ કુમાર શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શિલાફલકમનું અનાવરણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમની શુભ શરૂઆત કુમાર શાળા ખેરગામથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકાનાં નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષભાઈ પરમાર સાહેબ,ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરિક્ષક તથા કુમાર શાળાનાં આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, કન્યા શાળાનાં આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર ,તાલુકામાંથી પધરેલ અધિકારીશ્રી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. જેમના દ્વારા શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.


.jpeg)
Comments
Post a Comment