Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
તારીખ : ૧૧-૦૮-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દેશના શહીદોને તથા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તખ્તીનુ અનાવરણ કરવામાં આવ્યુ તથા ધ્વજવંદન કરવામાં આવ્યું ,પ્રતિજ્ઞા લેવામાં આવી અને ગામના રત્ન એવા સીઆરપીએફ આર્મી બીએસએફ તથા પોલીસના જવાનોનું સન્માન કરવામાં આવ્યું
નારણપોર ગામની અંદર આર્મીના જવાન મુકેશભાઈ પટેલ તેમનો રેન્ક નાયક નિવૃત્ત આર્મી ઓફિસર, સીઆરપીએફ જવાન ગોવિંદભાઈ પટેલ તથા બીએસએફના જવાન નિરંજનભાઇ એમ પટેલ જેમની ડ્યુટી હાલમાં ચાલુ છે તમામ વીરોનું સન્માન કરવામાં આવ્યું
શાળાની અંદર સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો જેમાં 300 જેટલા લોકોએ સેલ્ફી લઈ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો
Comments
Post a Comment