ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
તારીખ : ૧૧-૦૮-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં દેશના શહીદોને તથા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તખ્તીનુ અનાવરણ કરવામાં આવ્યુ તથા ધ્વજવંદન કરવામાં આવ્યું ,પ્રતિજ્ઞા લેવામાં આવી અને ગામના રત્ન એવા સીઆરપીએફ આર્મી બીએસએફ તથા પોલીસના જવાનોનું સન્માન કરવામાં આવ્યું
નારણપોર ગામની અંદર આર્મીના જવાન મુકેશભાઈ પટેલ તેમનો રેન્ક નાયક નિવૃત્ત આર્મી ઓફિસર, સીઆરપીએફ જવાન ગોવિંદભાઈ પટેલ તથા બીએસએફના જવાન નિરંજનભાઇ એમ પટેલ જેમની ડ્યુટી હાલમાં ચાલુ છે તમામ વીરોનું સન્માન કરવામાં આવ્યું
શાળાની અંદર સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો જેમાં 300 જેટલા લોકોએ સેલ્ફી લઈ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો












Comments
Post a Comment