Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સુરત ઝોન કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) સ્પર્ધા યોજાઈ.

                           

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સુરત ઝોન કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) સ્પર્ધા યોજાઈ.  

---  નાગલીની બરફી સાથે વલસાડ પ્રથમ ક્રમે, મિક્ષ મિલેટ્સની થુલી સાથે નવસારી બીજા ક્રમે અને મિલેટ્સ થાળી સાથે ભરૂચ ત્રીજા ક્રમે વિજેતા 

--- દક્ષિણ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૨૪ આંગણવાડી કાર્યકરોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો 

--- મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખી આંગણવાડીના લાભાર્થીઓ સુધી પહોંચાડવા પ્રયત્નો કરવા કલેકટરશ્રીએ અપીલ કરી 

--- જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ બહેનોને પ્રોત્સાહિત કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપ્યા 

--- “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત”ની થીમ સાથે પોષણ માસ ૨૦૨૩નો શુભારંભ કરાયો.

 ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને સુરત ઝોનના આઇસીડીએસના વિભાગીય નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા ઝોન  કક્ષાનો “શ્રી અન્ન”(મિલેટ્સ) સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો.

 આ સ્પર્ધામાં સુરત ઝોનના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ભરૂચ, ડાંગ, સુરત ગ્રામ્ય, સુરત અર્બન એમ કુલ આઠ જિલ્લાની જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા થયેલા ૧,૨,૩ ક્રમાંકના ૨૪ આંગણવાડી કાર્યકરોએ મિલેટ્સમાંથી બનતી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી ઝોન કક્ષાએ પ્રથમ ક્રમે વલસાડ જિલ્લાની નાગલીની બરફી, દ્વિતીય ક્રમે નવસારી જિલ્લાની મિક્ષ મિલેટ્સની થુલી, તૃતિય ક્રમે ભરૂચ જિલ્લાની મિલેટ્સ થાળી (સ્ટાર્ટર ટુ ડેઝર્ટ) બનાવનાર આંગણવાડી કાર્યકરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનોને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સંબોધન કરી મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખી પોતાના અને આંગણવાડીના લાભાર્થીઓ સુધી ઉપયોગમાં લેવામાં આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને સારી કામગીરી માટે શુભેચ્છા પાઠવી આઇસીડીએસ સિવાયના વિભાગોની કામગીરી બાબતે પ્રોત્સાહિત કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આઇસીડીએસ શાખાના સુરત ઝોનના વિભાગીય નાયબ નિયામક કોમલબેન ઠાકોરે મિલેટ્સના મહત્વ વિશે સમજ આપી હતી. 

 આ કાર્યક્રમમાં ડૉ. શ્રુતિ ઠક્કર (ડાયેટિશિયન), હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર સોનલ રાવલ, અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અદિતિ આચાર્ય, સિવિલ હોસ્પિટલના એન.આર.સી. ન્યુટ્રીશન આસિસ્ટન્ટ સુષ્મા પટેલ, આરોગ્ય શાખાના પી.એ. ન્યુટ્રીશન સ્નેહલ બાર્ગજેએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. 


 આ કાર્યક્રમમાં પોષણ માસ ૨૦૨૩ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષની પોષણ માસની થીમ “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત” છે. આ થીમને અનુલક્ષીને પોષણ માસમાં સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન માટે માત્ર ને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા, પોષણ ભી પઢાઇ ભી, મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી, મારો દેશ, આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન, ટેસ્ટ ટ્રીટ ટોક-એનિમિયા વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભારત સરકારનો કુપોષણને સર્વગ્રાહી રીતે નાથવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવી હતી. આભારવિધિ રાષ્ટ્રીય પોષણ અભિયાનના જિલ્લા કો-ઓર્ડીનેટર દર્શાલીબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલે કર્યુ હતું.  

Credit: info Valsad gog

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

       Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  #ECI   @ECISVEEP   pic.twitter.com/BuhS1P3WgJ — DDO Valsad (@DDO_VALSAD)  April 12, 2024

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો. તારીખ ૨૫-૧૨-૨૦૨૩ના દિને  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.   જેમાં નવસારી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેરગામ પોલિસ સ્ટેશન પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ ખેરગામ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સૌ લાભાર્થીઓનો નરેશભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાંતિપાઠ અને ભજન કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ જવાનો, રક્ત...