Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સુરત ઝોન કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) સ્પર્ધા યોજાઈ.

                           

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સુરત ઝોન કક્ષાની “શ્રી અન્ન” (મિલેટ્સ) સ્પર્ધા યોજાઈ.  

---  નાગલીની બરફી સાથે વલસાડ પ્રથમ ક્રમે, મિક્ષ મિલેટ્સની થુલી સાથે નવસારી બીજા ક્રમે અને મિલેટ્સ થાળી સાથે ભરૂચ ત્રીજા ક્રમે વિજેતા 

--- દક્ષિણ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ૨૪ આંગણવાડી કાર્યકરોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો 

--- મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખી આંગણવાડીના લાભાર્થીઓ સુધી પહોંચાડવા પ્રયત્નો કરવા કલેકટરશ્રીએ અપીલ કરી 

--- જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ બહેનોને પ્રોત્સાહિત કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ આપ્યા 

--- “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત”ની થીમ સાથે પોષણ માસ ૨૦૨૩નો શુભારંભ કરાયો.

 ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને સુરત ઝોનના આઇસીડીએસના વિભાગીય નાયબ નિયામકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા ઝોન  કક્ષાનો “શ્રી અન્ન”(મિલેટ્સ) સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો.

 આ સ્પર્ધામાં સુરત ઝોનના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, ભરૂચ, ડાંગ, સુરત ગ્રામ્ય, સુરત અર્બન એમ કુલ આઠ જિલ્લાની જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધામાં વિજેતા થયેલા ૧,૨,૩ ક્રમાંકના ૨૪ આંગણવાડી કાર્યકરોએ મિલેટ્સમાંથી બનતી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી ઝોન કક્ષાએ પ્રથમ ક્રમે વલસાડ જિલ્લાની નાગલીની બરફી, દ્વિતીય ક્રમે નવસારી જિલ્લાની મિક્ષ મિલેટ્સની થુલી, તૃતિય ક્રમે ભરૂચ જિલ્લાની મિલેટ્સ થાળી (સ્ટાર્ટર ટુ ડેઝર્ટ) બનાવનાર આંગણવાડી કાર્યકરોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનોને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સંબોધન કરી મિલેટ્સની વાનગીઓ ફક્ત સ્પર્ધા સુધી જ સીમિત ન રાખી પોતાના અને આંગણવાડીના લાભાર્થીઓ સુધી ઉપયોગમાં લેવામાં આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને સારી કામગીરી માટે શુભેચ્છા પાઠવી આઇસીડીએસ સિવાયના વિભાગોની કામગીરી બાબતે પ્રોત્સાહિત કરી વિજેતાઓને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આઇસીડીએસ શાખાના સુરત ઝોનના વિભાગીય નાયબ નિયામક કોમલબેન ઠાકોરે મિલેટ્સના મહત્વ વિશે સમજ આપી હતી. 

 આ કાર્યક્રમમાં ડૉ. શ્રુતિ ઠક્કર (ડાયેટિશિયન), હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર સોનલ રાવલ, અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અદિતિ આચાર્ય, સિવિલ હોસ્પિટલના એન.આર.સી. ન્યુટ્રીશન આસિસ્ટન્ટ સુષ્મા પટેલ, આરોગ્ય શાખાના પી.એ. ન્યુટ્રીશન સ્નેહલ બાર્ગજેએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. 


 આ કાર્યક્રમમાં પોષણ માસ ૨૦૨૩ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષની પોષણ માસની થીમ “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત” છે. આ થીમને અનુલક્ષીને પોષણ માસમાં સામુદાયિક સ્તરે વર્તન પરિવર્તન માટે માત્ર ને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા, પોષણ ભી પઢાઇ ભી, મિશન લાઇફ દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી, મારો દેશ, આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સિટાઇઝેશન, ટેસ્ટ ટ્રીટ ટોક-એનિમિયા વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભારત સરકારનો કુપોષણને સર્વગ્રાહી રીતે નાથવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવી હતી. આભારવિધિ રાષ્ટ્રીય પોષણ અભિયાનના જિલ્લા કો-ઓર્ડીનેટર દર્શાલીબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલે કર્યુ હતું.  

Credit: info Valsad gog

Comments

Popular posts from this blog

ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.

          ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા  સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું. સેલવાસ ખાતે તારીખ 13,14 અને 15 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ૩૧મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન કાર્યક્રમમાં મહાપ્રસાદ માટે ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા ખેરગામના સેવાભાવી કુટુંબોએ સ્વેચ્છાએ અન્નદાન સ્વરૂપે આપેલ 20160 કિલો ગ્રામ ચોખા એકત્ર કરી આયોજકોને અર્પણ કર્યા.  આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે. આયોજક દ્વારા નમ્ર અપીલ  કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે. ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા  આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ (dgvcl સર્કલ સેક્રેટર...

ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

       ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.  ખેરગામ તાલુકાના સેવાભાવી યુવાન અને હાલ ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સંજય વી પટેલને ગુજરાત સમાજસાસ્ત્ર પરિષદના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેઓના political leadership among Tribal and non Tribal - A study વિષય પર ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડો.જે સી પટેલનાં માર્ગદર્શન હેઠળ PhD ની પદવી પ્રાપ્ત કરવા બદલ આપવામાં આવ્યું હતું.તેમનું સન્માન ગુજરાત સમાજશાસ્ત્રનાં અધ્યક્ષ ડો જયપ્રકાશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ તેમને મળેલી આ સિદ્ધિ બદલ તેમના ગામ આછવણીના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ. --- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા. --- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો. --- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. --- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.   ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.  ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે.  જે...