Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

    

ખેરગામ ગામના પહાડ ફળીયા ખાતે આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

તારીખ : ૨૭-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ ગામની પહાડ ફળિયા આંગણવાડીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ આંગણવાડીનું મકાન ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હોય નવા મકાનની માંગણી કરવામાં આવી હતી.જે માંગણી સરકારશ્રી દ્વારા મંજૂર કરાતાં ખેરગામ તાલુકાનાં નવા વરાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીનાં હસ્તે આંગણવાડીનાં મકાનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 

      જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝરણાબેન પટેલ, ખેરગામ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, ખેરગામ જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અને ગામના આગેવાન અરવિંદભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી ઉમેશભાઈ પટેલ તથા જયેશભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, ગામના આગેવાનશ્રી ધનસુખભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, પહાડ ફળિયા આંગણવાડીનાં કાર્યકર, વેણ  ફળિયા આંગણવાડીના કાર્યકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.




Comments