Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું.

         


નવસારી સમસ્ત આદિવાસી સમાજ ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપ ના સયુંકત ઉપક્રમે નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું. 

 નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ ડૉ.નિરવ પટેલ કે જેઓ વ્યવસાયે તબીબ હોવાં છતાં સમાજસેવા સાથે જોડાયેલા છે. અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ કે અન્ય સમાજ પર આવેલી મુશ્કેલીઓ કે દુઃખમાં ભાગીદાર થઈ મદદ કરતાં રહે છે. "માનવ સેવા એજ પ્રભુ સેવા" નું સૂત્રને જીવનમાં વણી લીધું હોવાનું પ્રતીત થાય છે. નવસારી જિલ્લાના વતની અને નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મિનેશભાઇ પટેલ કે જેઓ શિક્ષણની સાથે સાથે સમાજસેવા સાથે પણ જોડાયેલા છે. જેમણે સંકલ્પ એજ્યુકેશન ગૃપની રચના કરી છે. જેમાં સેવાભાવી કર્મચારીઓ જોડાયેલા છે. 

 આ નવસારી સમસ્ત આદિવાસી ટીમ અને સંકલ્પ એજ્યુકેશન ગૃપના સયુંક્ત ઉપક્રમે આ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં ડૉ. નિરવ પટેલ પોતાની વ્યસ્તતાના કારણે હાજર રહી શક્યા નહોતા. પરંતુ સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા નર્મદા જિલ્લાના પૂર અસરગ્રસ્ત કુટુંબોની મુલાકાત લેવામાં એવી હતી. જેમાં સૌપ્રથમ નર્મદા જિલ્લાના પિપરિયા ગામના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ૫૦ જેટલા અનાથ વૃદ્ધોને રાશન કિટનું વિતરણ અને આજ આશ્રમમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટનું  વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નર્મદા નદી કિનારે આવેલું વાંગણ ગામની મુલાકાત લઈ ૬ ઘરોને નુકશાન થયેલ જેમને રાશન કીટ અને ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  મિનેષભાઈ પટેલે ટેલીફોનીક વાતચીત દ્વારા આ કાર્યક્રમની જાણ કરવામાં આવી હતી.



Comments