Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો.
તારીખ : ૦૯-૦૯-૨૦૨૩નાં શનિવારના દિને મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો હતો. આ માસનો બીજો શનિવાર હોવાથી કચેરીમાં રજા હોય સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચેરી ચાલુ થઈ ત્યાર પછી પ્રથમવાર આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેરગામ તાલુકા નામદાર મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણ કાછ અને તેમના ધર્મપત્નિનાં હસ્તે પૂજા કરવામાં આવી હતી. કચેરીમાં રજા હોવા છતાં સ્વૈચ્છિક રીતે તમામ સ્ટાફ પૂજાઅર્ચના કાર્યક્રમમાં જોડાયો હતો.
Comments
Post a Comment