ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો.
તારીખ : ૦૯-૦૯-૨૦૨૩નાં શનિવારના દિને મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો હતો. આ માસનો બીજો શનિવાર હોવાથી કચેરીમાં રજા હોય સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચેરી ચાલુ થઈ ત્યાર પછી પ્રથમવાર આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેરગામ તાલુકા નામદાર મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણ કાછ અને તેમના ધર્મપત્નિનાં હસ્તે પૂજા કરવામાં આવી હતી. કચેરીમાં રજા હોવા છતાં સ્વૈચ્છિક રીતે તમામ સ્ટાફ પૂજાઅર્ચના કાર્યક્રમમાં જોડાયો હતો.







Comments
Post a Comment