Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

               


તારીખ ૦૩-૦૯-૨૦૨૩નાં રવિવારના દિને ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે  આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર  જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

         દેશની આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાનું યોગદાન નાનુસુનું નથી!  આ ક્રાંતિકારીનું જીવનવૃતાંત અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે આજની યુવા પેઢીમાં તેમના વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય અને દેશના વિકાસમાં અને રાષ્ટ્રીય એકતામાં પોતાનું યોગદાન આપી એક આદર્શ નાગરિક બને તેવી ભાવના છુપાયેલી છે.              

                   આ બોર્ડ (બેનર) બોર્ડ નાં રહેતા તે એક  બિરસા મુંડાનાં સંદેશાવાહકનું કાર્ય કરતું જોવા મળશે. આ બોર્ડ પર નાના કુમળી વયના બાળકની નજર પડતાં જ કુતૂહલ પેદા થશે. આ મહાપુરુષ કોણ છે ? અને એ તેના માતાપિતા પાસેથી તેમના વિશે જાણવાનો જરૂર પ્રયત્ન કરશે. અને જો માતા પિતા પાસેથી સંતોષકારક જવાબ ન મળે તો તે તેમના મિત્ર, શિક્ષક, અથવા તો google માંથી બાળક બિરસા મુંડાનો ઈતિહાસ જરૂર જાણવાનો પ્રયત્ન કરશે. 

"આજે વાવેલું બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બનશે."

                  આ કાર્યક્રમમાં  રાકેશભાઇ પટેલ, સાયલેશભાઈ, નિકુંજભાઈ, સંજયભાઈની ટીમ (નવા નગર) કિશનભાઈ, કેજુભાઈ,(પટેલ ફળિયા) અક્ષયભાઈ, ધીરુભાઈ, બ્રિજેશભાઈની ટીમ (બખાર.ફ), જયેશભાઈ, સંજય ભાઈ (ઉન્નાવ.ફ), ઝાડી ફળિયા જીતુભાઈ, ઝાડી ફળિયા રાકેશભાઈ, શેખરભાઈ પીન્તાભાઈ, ઘવુભાઈ, પ્રવીણભાઈ, (ખુશાલ ફળિયા તેમજ ડુંભરીયા ફળિયાના) વડીલો, કિરણભાઈ, ચીમનકાકા, જયદીપ, શશીકાંત, ઉમેશ ભાઈ  શૈલેષભાઈ, સંજયભાઈ, વિજયભાઈ, દિવ્યેશ, અંકિત, નિરજભાઈ, રાહુલ, મણીલાલ ( ડેરી સંચાલક), સાઇલેશભાઈ, ધર્મેશભાઈ, જેનીશ, દિલીપભાઈ, કેયુર, હર્ષભાઈ, સાહિલ, આશિષ, અંકિત, સતીષભાઈ, ચેતનભાઈ, રમેશકાકા, હરિલાલ, અરવિંદભાઇ  ફળિયાના યુવાનો વડીલો નાના બાળકો વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


                   વિશેષ મહેમાનોમાં આદિવાસી યુવા નેતા  ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, કાનાભાઈ (મોટી ઢોલડુંગરી), ખેરગામ બાવળી ફળિયાના વતની અને Honey news તથા vatsalyam ન્યૂઝના પત્રકાર દિપકભાઈ પટેલ હાજર રહ્યા હતાં.


ઘેજ ગામ વતી આયોજકો વીનેશભાઈ અને અનંતભાઈએ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


Comments

Popular posts from this blog

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

     વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

  Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

    Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.