Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

               


તારીખ ૦૩-૦૯-૨૦૨૩નાં રવિવારના દિને ચીખલી તાલુકાના ઘેજ (ડુંભરીયા) ગામે  આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બિરસા સર્કલ પર  જનનાયક બિરસા મુંડાનું બોર્ડ લગાવી ઉજવણી કરવામાં આવી.

         દેશની આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતિકારી ધરતી આબા બિરસા મુંડાનું યોગદાન નાનુસુનું નથી!  આ ક્રાંતિકારીનું જીવનવૃતાંત અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલ છે. ત્યારે આજની યુવા પેઢીમાં તેમના વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય અને દેશના વિકાસમાં અને રાષ્ટ્રીય એકતામાં પોતાનું યોગદાન આપી એક આદર્શ નાગરિક બને તેવી ભાવના છુપાયેલી છે.              

                   આ બોર્ડ (બેનર) બોર્ડ નાં રહેતા તે એક  બિરસા મુંડાનાં સંદેશાવાહકનું કાર્ય કરતું જોવા મળશે. આ બોર્ડ પર નાના કુમળી વયના બાળકની નજર પડતાં જ કુતૂહલ પેદા થશે. આ મહાપુરુષ કોણ છે ? અને એ તેના માતાપિતા પાસેથી તેમના વિશે જાણવાનો જરૂર પ્રયત્ન કરશે. અને જો માતા પિતા પાસેથી સંતોષકારક જવાબ ન મળે તો તે તેમના મિત્ર, શિક્ષક, અથવા તો google માંથી બાળક બિરસા મુંડાનો ઈતિહાસ જરૂર જાણવાનો પ્રયત્ન કરશે. 

"આજે વાવેલું બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બનશે."

                  આ કાર્યક્રમમાં  રાકેશભાઇ પટેલ, સાયલેશભાઈ, નિકુંજભાઈ, સંજયભાઈની ટીમ (નવા નગર) કિશનભાઈ, કેજુભાઈ,(પટેલ ફળિયા) અક્ષયભાઈ, ધીરુભાઈ, બ્રિજેશભાઈની ટીમ (બખાર.ફ), જયેશભાઈ, સંજય ભાઈ (ઉન્નાવ.ફ), ઝાડી ફળિયા જીતુભાઈ, ઝાડી ફળિયા રાકેશભાઈ, શેખરભાઈ પીન્તાભાઈ, ઘવુભાઈ, પ્રવીણભાઈ, (ખુશાલ ફળિયા તેમજ ડુંભરીયા ફળિયાના) વડીલો, કિરણભાઈ, ચીમનકાકા, જયદીપ, શશીકાંત, ઉમેશ ભાઈ  શૈલેષભાઈ, સંજયભાઈ, વિજયભાઈ, દિવ્યેશ, અંકિત, નિરજભાઈ, રાહુલ, મણીલાલ ( ડેરી સંચાલક), સાઇલેશભાઈ, ધર્મેશભાઈ, જેનીશ, દિલીપભાઈ, કેયુર, હર્ષભાઈ, સાહિલ, આશિષ, અંકિત, સતીષભાઈ, ચેતનભાઈ, રમેશકાકા, હરિલાલ, અરવિંદભાઇ  ફળિયાના યુવાનો વડીલો નાના બાળકો વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


                   વિશેષ મહેમાનોમાં આદિવાસી યુવા નેતા  ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, કાનાભાઈ (મોટી ઢોલડુંગરી), ખેરગામ બાવળી ફળિયાના વતની અને Honey news તથા vatsalyam ન્યૂઝના પત્રકાર દિપકભાઈ પટેલ હાજર રહ્યા હતાં.


ઘેજ ગામ વતી આયોજકો વીનેશભાઈ અને અનંતભાઈએ સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.


Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...