Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.



‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

--- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા.

--- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો.

--- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો.

--- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.

  ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે. 

ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે. 

જે અંગે ગામના તલાટી હર્ષાબેન પટેલ જણાવે છે કે, ગામમાં સ્વચ્છતા જાળવવા માટે ઘન કચરાનું, ગ્રે વોટરનું અને મળ કાદવનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. અમારૂ ગામ સ્વચ્છ અને આરોગ્યપ્રદ રહે તે માટે સંપૂર્ણ સ્વચ્છતાના આંદોલનમાં તમામ ગ્રામજનો જોડાયા છે. ૧૫માં નાણા પંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ૧ વર્ષ અગાઉ રૂ. ૬ લાખ ૬૬ હજારના ખર્ચે ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે ટેમ્પો ખરીદવામાં આવ્યો. જેના દ્વારા મહિનામાં તા. ૧ અને ૨ તેમજ તા. ૧૫ અને ૧૬ ના રોજ ‘ડોર ટુ ડોર’ કચરો ઉપાડવામાં આવે છે. ત્યાર બાદ કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે એક વર્ષ અગાઉ સ્વચ્છ ભારત મિશનની રૂ. ૨,૪૩,૧૩૨ માંથી સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં બે ટાંકી બનાવાઈ છે. આ ટાંકીમાં તમામ કચરો ખાલી કરી તેમાંથી પ્લાસ્ટીક, કાચ સહિતનો કચરો છુટો પાડવામાં આવે છે. ત્યારબાદ અતુલ કંપની સાથે એમઓયુ થયુ હોવાથી તેમને કચરો આપવામાં આવશે. જેમાંથી પંચાયતને કમાણી પણ થશે. છેલ્લા ચાર મહિનાથી આ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે જેના થકી અત્યાર સુધીમાં અંદાજે એક ટન કચરો શેડમાં એકત્ર કરાયો છે. હવે આ કચરો કંચન બનશે. 

ધરમપુર તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ટેકનિકલ આસિસ્ટન્ટ મિતુલભાઈ આહિરે જણાવ્યું કે, ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન હેઠળ ગામની આંગણવાડી, શાળા, મંદિર અને ચોક સહિતના જાહેર સ્થળો પર સફાઈ કાર્યક્રમો હાથ ધરાયા હતા. બારોલિયા ગામમાં જે રીતે સેગ્રીગેશન શેડ બનાવાયો છે, તે રીતે ધરમપુર તાલુકાના ૨૨ ગામોમાં રૂ. ૧.૫૦ લાખથી ૧.૮૦ લાખ સુધીના નવા શેડનું કામ ચાલી રહ્યું છે. 

આમ, બારોલિયા ગામ સ્વચ્છતા માટે જરૂરી તમામ સાધન સામગ્રીથી સજ્જ થઈ છે અને ગ્રામજનોએ પોતાનું ગામ સ્વચ્છ અને તંદુરસ્ત રહે તે માટે જાગૃતિ કેળવી ‘‘સ્વચ્છતા હી સેવા’’ના મહા આંદોલનમાં જોડાય સ્વચ્છ ગામ તરીકેની મિશાલ પુરી પાડી છે. 

બોક્ષ મેટર 

નિઃશૂલ્ક કચરાપેટી વિતરણથી ગામ સ્વચ્છ બન્યું અને બાકી વેરાની વસૂલાત પણ થઈ.

બારોલિયા ગ્રામ પંચાયતના સભ્ય અને અગ્રણી લક્ષ્મણભાઈ ખિરારીએ કહ્યુ કે, ગામને સ્વચ્છ રાખવા માટે વર્ષ દરમિયાન વારે તહેવારે સફાઈ અભિયાન હાથ ધરાઈ છે. મનરેગા યોજના હેઠળ રોજગારી મળી રહે તે માટે પણ ગામમાં સફાઈ થાય છે. ગ્રામજનો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે અને બાકી વેરાની વસૂલાત પણ થઈ શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા વિના મૂલ્યે ઘરે ઘરે એક હજાર કચરાપેટી આપવામાં આવી છે. આ કચરા પેટીનો લાભ મેળવવા માટે જે લોકોનો વેરો બાકી હતો, તે લોકો પણ વેરો ભરી ગયા જેથી ગામમાં સ્વચ્છતા જળવાઈ અને વેરાની વસૂલાત પણ થઈ શકી. 

સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર

Comments

Popular posts from this blog

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

   ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભાઇ, મયુર, ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મ...

નાગાલેન્ડના ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડાંગનો યુવાન ' ડુંગરદેવ' ગીતથી છવાયો.

  નાગાલેન્ડના ઈન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડાંગનો યુવાન ' ડુંગરદેવ' ગીતથી છવાયો. ગુજરાતના પ્રથમ આદિવાસી રેપર, કામડીએ હોર્નબિલ ઉત્સવમાં પરંપરાગત ડાંગી રિધમ અને ડાંગ ના ડુંગર દેવ (ડાંગના પર્વત દેવ) સાથે સંકળાયેલ ગીત ગાઈને  તેમની અનન્ય પ્રતિભા દર્શાવી હતી. ગુજરાતના ડાંગના આદિવાસી અંતરિયાળ વિસ્તારના આદિવાસી રેપર ટીઆર કામડીએ નાગાલેન્ડમાં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ હોર્નબિલ ફેસ્ટિવલમાં ડુંગર દેવ (ડુંગર દેવ) ગીતની રજૂઆત સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાગાલેન્ડ સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય હોર્નબિલ ફેસ્ટિવલ 1લી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી ચાલે છે અને સમગ્ર ભારતમાં નોંધપાત્ર લોકપ્રિયતા ધરાવે છે. દેશ અને વિદેશના અસંખ્ય પ્રવાસીઓને કાશીમા, નાગાલેન્ડ તરફ ખેંચીને, આ વર્ષના ઉત્સવમાં ડાંગના ડાંગી બોય ટીઆર દ્વારા અસાધારણ પ્રદર્શન જોવા મળ્યું, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. આદિવાસી જૂથો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓમાં, ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના સંવાદ રિધમ ઓફ ધ અર્થ ગ્રૂપ, લદ્દાખના આદિવાસી દાસુગ બેન્ડ સાથે, તેમના સાંસ્કૃતિક કૃતિનું પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિધમ ગ્રુપમાં ગુ...

વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો

       વાડ મુખ્ય શાળામાં પ્રાથમિક વિભાગમાં બાળમેળો અને ઉચ્ચત્તર વિભાગમાં લાઈફ સ્કીલ આધારિત બાળમેળો યોજાયો.  આજ રોજ તારીખ 18/08/2023 ને શુક્ર્વારના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા તા. ખેરગામ જિ. નવસારીની શાળામાં બાળમેળો અને લાઈફસ્કીલ બાળમેળો જીલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી દ્વારા યોજવામાં આવ્યો. આયોજન પ્રમાણે ધોરણ 6 થી 8 માં જીવન કૌશલ્ય અને જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો સમાવેશ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરવાના હેતુ માટે લાઈફસ્કીલ આધારિત બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.               ધોરણ ૧થી ૫ માં બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, અભિનયગીત, વેશભૂષા, બાળવાર્તા જેવી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકો “ જીવન કૌશલ્ય આધરિત બાળમેળમાં” સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચાલો શીખીએ, સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન , વાંચન,લેખન અવલોકન , પર્યાવરણને જાણો,માણો અને જાળવો , હળવાશનીપળોમાં , સમાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાળપ્રદર્શન જેવા વિભાગમાં જ...