Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.

   

 ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.

 સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ધરમપુરના કેણવળી ગામમાં હેન્ડ વોશ, મામાભાચા ગામમાં સ્વચ્છતા જાગૃતિ, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં ડ્રોઈંગ સ્પર્ધા, સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. પારડી તાલુકાના રોહિણા ગામમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ, સાફ સફાઈ, ચિત્રકામ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ટુકવાડા ગામમાં સ્વચ્છતાના શપથ લેવાયા હતા. 


વાપી તાલુકાના છીરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું. સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ  ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને "સ્વચ્છતા હી સેવામાં" સહયોગ અને શ્રમદાન આપવા અનુરોધ કરાયો હતો. 



સ્રોત માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૯ સપ્ટેમ્બર 

Comments