Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું.

 


શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું. 

 જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે, માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ સમાજ,ગામના ઘડતર દ્વારા તેને નવી દિશા આપવાનું કામ સમર્થ શિક્ષકો કરી શકે છે.

         શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે. સમાજના જવાબદર નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકો કરે છે 


       ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે.

      નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની પ્રાથમિક વિદ્યામંદિર ભાગડમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિબેન પટેલ કે જેવો મૂળ નાંદરખાના વતની છે અને હાલ ગણદેવી તાલુકાના ભાગડ ગામે પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. કીર્તિબેન પટેલ દ્વારા પોતાના વર્ગખંડમાં બાળકોને પોતાના છોકરાની જેમ સાચવી અને શિક્ષણ આપી રહ્યા છે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર

       ત્યારે તેમની વિશેષ વાતો આપણે તેમના જ શબ્દોમાં જાણીએ તો... તેઓ કહે છે કે સૌપ્રથમ મને શિક્ષકનો પવિત્ર વ્યવસાય મળ્યો તે માટે પ્રભુનો આભાર. મારી 21 વર્ષની શૈક્ષણિક યાત્રામાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ ‘મા‘ સરસ્વતી અને પ્રભુની દેન છે.                       નવસારી જિલ્લામાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મેળવનાર પ્રથમ શિક્ષક મહિલા હોવાનો મને ગર્વ છે. મારા બાળરૂપી પુષ્પો ખીલતા અને મઘમઘતા રહે એવા મારા અવિરત પ્રયત્ન રહ્યા છે.જે ક્ષેત્રની જવાબદારી પ્રભુએ મને સોંપી છે એ ક્ષેત્રમાં મારુ યોગદાન આપી એ વિશ્વાસ અકબંધ રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરું છું. 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર

     સરકારશ્રીના” રમતાં રમતાં ભણીએ”ઉદ્દેશ્યને ચરિત્રાર્થ કરવા “કીર્તિનો કલરવ”બાળગીત સંગ્રહ મારી કલમે લખાયેલ છે. મને સાહિત્ય ક્ષેત્રે ‘‘રવીન્દ્રનાથ ટાગોર સન્માન,અને ‘બેટી રત્ન સન્માન’ મેડલ અને પ્રમાણપત્ર સહિત પ્રાપ્ત થયેલ છે. મારી કર્મનિષ્ઠા અને સેવાભાવ મારા દિલમાં અકબંધ રાખી બાળકો માટે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અથાગ પ્રયત્નો કરીશ એવી ખાતરી આપું છું. મારામાં રહેલ પ્રતિભાનો મારા બાળદેવોમાં સદૈવ વિવિધ કૌશલ્યો વિકસાવવા એમના કલ્પના જગતને વિશાળ બનાવવા પ્રયત્ન કરતી રહીશ.

જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કીર્તીબેન પટેલ “મુજ જ્ઞાનની જ્યોત ઝળહળતી રાખજે,બાળરૂપી પુષ્પો ખીલવવાની શક્તિ તું દેજે,મા શારદે મુજવંદન તુજ ચરણે સ્વીકારજે!”

(જમણી બાજુ) નવસારી જિ. પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિલીપકુમાર પટેલ અને ડાબી (બાજુ)ગણદેવી શિક્ષક સંઘનાં પ્રમુખ કલ્પેશ ટંડેલ

શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ એમ જ નથી કહેવામાં આવતું. બાળકો સાથેના કાર્યમાં આ ત્રણે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે ત્યારે મા સ્તર સુધી પહોંચી માસ્તર બિરુદ મળે છે. અનેકો કામગીરી સાથે ઘેરાયેલાં શિક્ષક જયારે રાત દિવસ શિક્ષણને ઉજાગર કરતાં હોય ત્યારે આવા સન્માનનો અધિકારી બનતાં હોય છે. 

       કીર્તિ બહેને પણ એમનાં ઉપનામ ને સાર્થક કરતાં અનેક ઓજસ પાથર્યા છે.શિક્ષણ જગતે તેમની નોંધ લઈ તેમનાં" કાર્યની સરાહના કરીતે ઉલ્લેખનીય અને પ્રશંશનીય કાર્ય છે.



          પતિ ઓજસ સાથે કીર્તિબેન પટેલ

Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024