Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું.

 


શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું. 

 જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે, માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ સમાજ,ગામના ઘડતર દ્વારા તેને નવી દિશા આપવાનું કામ સમર્થ શિક્ષકો કરી શકે છે.

         શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે. સમાજના જવાબદર નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકો કરે છે 


       ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે.

      નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની પ્રાથમિક વિદ્યામંદિર ભાગડમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિબેન પટેલ કે જેવો મૂળ નાંદરખાના વતની છે અને હાલ ગણદેવી તાલુકાના ભાગડ ગામે પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. કીર્તિબેન પટેલ દ્વારા પોતાના વર્ગખંડમાં બાળકોને પોતાના છોકરાની જેમ સાચવી અને શિક્ષણ આપી રહ્યા છે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર

       ત્યારે તેમની વિશેષ વાતો આપણે તેમના જ શબ્દોમાં જાણીએ તો... તેઓ કહે છે કે સૌપ્રથમ મને શિક્ષકનો પવિત્ર વ્યવસાય મળ્યો તે માટે પ્રભુનો આભાર. મારી 21 વર્ષની શૈક્ષણિક યાત્રામાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ ‘મા‘ સરસ્વતી અને પ્રભુની દેન છે.                       નવસારી જિલ્લામાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મેળવનાર પ્રથમ શિક્ષક મહિલા હોવાનો મને ગર્વ છે. મારા બાળરૂપી પુષ્પો ખીલતા અને મઘમઘતા રહે એવા મારા અવિરત પ્રયત્ન રહ્યા છે.જે ક્ષેત્રની જવાબદારી પ્રભુએ મને સોંપી છે એ ક્ષેત્રમાં મારુ યોગદાન આપી એ વિશ્વાસ અકબંધ રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરું છું. 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર

     સરકારશ્રીના” રમતાં રમતાં ભણીએ”ઉદ્દેશ્યને ચરિત્રાર્થ કરવા “કીર્તિનો કલરવ”બાળગીત સંગ્રહ મારી કલમે લખાયેલ છે. મને સાહિત્ય ક્ષેત્રે ‘‘રવીન્દ્રનાથ ટાગોર સન્માન,અને ‘બેટી રત્ન સન્માન’ મેડલ અને પ્રમાણપત્ર સહિત પ્રાપ્ત થયેલ છે. મારી કર્મનિષ્ઠા અને સેવાભાવ મારા દિલમાં અકબંધ રાખી બાળકો માટે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અથાગ પ્રયત્નો કરીશ એવી ખાતરી આપું છું. મારામાં રહેલ પ્રતિભાનો મારા બાળદેવોમાં સદૈવ વિવિધ કૌશલ્યો વિકસાવવા એમના કલ્પના જગતને વિશાળ બનાવવા પ્રયત્ન કરતી રહીશ.

જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કીર્તીબેન પટેલ “મુજ જ્ઞાનની જ્યોત ઝળહળતી રાખજે,બાળરૂપી પુષ્પો ખીલવવાની શક્તિ તું દેજે,મા શારદે મુજવંદન તુજ ચરણે સ્વીકારજે!”

(જમણી બાજુ) નવસારી જિ. પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિલીપકુમાર પટેલ અને ડાબી (બાજુ)ગણદેવી શિક્ષક સંઘનાં પ્રમુખ કલ્પેશ ટંડેલ

શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ એમ જ નથી કહેવામાં આવતું. બાળકો સાથેના કાર્યમાં આ ત્રણે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે ત્યારે મા સ્તર સુધી પહોંચી માસ્તર બિરુદ મળે છે. અનેકો કામગીરી સાથે ઘેરાયેલાં શિક્ષક જયારે રાત દિવસ શિક્ષણને ઉજાગર કરતાં હોય ત્યારે આવા સન્માનનો અધિકારી બનતાં હોય છે. 

       કીર્તિ બહેને પણ એમનાં ઉપનામ ને સાર્થક કરતાં અનેક ઓજસ પાથર્યા છે.શિક્ષણ જગતે તેમની નોંધ લઈ તેમનાં" કાર્યની સરાહના કરીતે ઉલ્લેખનીય અને પ્રશંશનીય કાર્ય છે.



          પતિ ઓજસ સાથે કીર્તિબેન પટેલ

Comments

Popular posts from this blog

ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.

          ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા  સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું. સેલવાસ ખાતે તારીખ 13,14 અને 15 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ૩૧મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન કાર્યક્રમમાં મહાપ્રસાદ માટે ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા ખેરગામના સેવાભાવી કુટુંબોએ સ્વેચ્છાએ અન્નદાન સ્વરૂપે આપેલ 20160 કિલો ગ્રામ ચોખા એકત્ર કરી આયોજકોને અર્પણ કર્યા.  આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે. આયોજક દ્વારા નમ્ર અપીલ  કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે. ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા  આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ (dgvcl સર્કલ સેક્રેટર...

ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

       ખેરગામ તાલુકાના આછવણીના યુવાનનું ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું.  ખેરગામ તાલુકાના સેવાભાવી યુવાન અને હાલ ડી એમ પટેલ આર્ટ્સ એન્ડ એસ એસ પટેલ કોમર્સ કોલેજ ઓડ આણંદનાં સમાજશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સંજય વી પટેલને ગુજરાત સમાજસાસ્ત્ર પરિષદના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેઓના political leadership among Tribal and non Tribal - A study વિષય પર ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડો.જે સી પટેલનાં માર્ગદર્શન હેઠળ PhD ની પદવી પ્રાપ્ત કરવા બદલ આપવામાં આવ્યું હતું.તેમનું સન્માન ગુજરાત સમાજશાસ્ત્રનાં અધ્યક્ષ ડો જયપ્રકાશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ તેમને મળેલી આ સિદ્ધિ બદલ તેમના ગામ આછવણીના લોકોએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ. --- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા. --- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો. --- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. --- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.   ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.  ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે.  જે...