Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું.

 


શિક્ષક દિને ગણદેવી તાલુકાની ભાગડ પ્રાથમિક શાળાની શિક્ષિકા કીર્તિબેન પટેલનું 'તાલુકા કક્ષા' શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું. 

 જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે, માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ સમાજ,ગામના ઘડતર દ્વારા તેને નવી દિશા આપવાનું કામ સમર્થ શિક્ષકો કરી શકે છે.

         શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે. સમાજના જવાબદર નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકો કરે છે 


       ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે.

      નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની પ્રાથમિક વિદ્યામંદિર ભાગડમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કીર્તિબેન પટેલ કે જેવો મૂળ નાંદરખાના વતની છે અને હાલ ગણદેવી તાલુકાના ભાગડ ગામે પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. કીર્તિબેન પટેલ દ્વારા પોતાના વર્ગખંડમાં બાળકોને પોતાના છોકરાની જેમ સાચવી અને શિક્ષણ આપી રહ્યા છે.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર

       ત્યારે તેમની વિશેષ વાતો આપણે તેમના જ શબ્દોમાં જાણીએ તો... તેઓ કહે છે કે સૌપ્રથમ મને શિક્ષકનો પવિત્ર વ્યવસાય મળ્યો તે માટે પ્રભુનો આભાર. મારી 21 વર્ષની શૈક્ષણિક યાત્રામાં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ ‘મા‘ સરસ્વતી અને પ્રભુની દેન છે.                       નવસારી જિલ્લામાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક મેળવનાર પ્રથમ શિક્ષક મહિલા હોવાનો મને ગર્વ છે. મારા બાળરૂપી પુષ્પો ખીલતા અને મઘમઘતા રહે એવા મારા અવિરત પ્રયત્ન રહ્યા છે.જે ક્ષેત્રની જવાબદારી પ્રભુએ મને સોંપી છે એ ક્ષેત્રમાં મારુ યોગદાન આપી એ વિશ્વાસ અકબંધ રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરું છું. 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર

     સરકારશ્રીના” રમતાં રમતાં ભણીએ”ઉદ્દેશ્યને ચરિત્રાર્થ કરવા “કીર્તિનો કલરવ”બાળગીત સંગ્રહ મારી કલમે લખાયેલ છે. મને સાહિત્ય ક્ષેત્રે ‘‘રવીન્દ્રનાથ ટાગોર સન્માન,અને ‘બેટી રત્ન સન્માન’ મેડલ અને પ્રમાણપત્ર સહિત પ્રાપ્ત થયેલ છે. મારી કર્મનિષ્ઠા અને સેવાભાવ મારા દિલમાં અકબંધ રાખી બાળકો માટે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અથાગ પ્રયત્નો કરીશ એવી ખાતરી આપું છું. મારામાં રહેલ પ્રતિભાનો મારા બાળદેવોમાં સદૈવ વિવિધ કૌશલ્યો વિકસાવવા એમના કલ્પના જગતને વિશાળ બનાવવા પ્રયત્ન કરતી રહીશ.

જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કીર્તીબેન પટેલ “મુજ જ્ઞાનની જ્યોત ઝળહળતી રાખજે,બાળરૂપી પુષ્પો ખીલવવાની શક્તિ તું દેજે,મા શારદે મુજવંદન તુજ ચરણે સ્વીકારજે!”

(જમણી બાજુ) નવસારી જિ. પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ દિલીપકુમાર પટેલ અને ડાબી (બાજુ)ગણદેવી શિક્ષક સંઘનાં પ્રમુખ કલ્પેશ ટંડેલ

શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ એમ જ નથી કહેવામાં આવતું. બાળકો સાથેના કાર્યમાં આ ત્રણે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે ત્યારે મા સ્તર સુધી પહોંચી માસ્તર બિરુદ મળે છે. અનેકો કામગીરી સાથે ઘેરાયેલાં શિક્ષક જયારે રાત દિવસ શિક્ષણને ઉજાગર કરતાં હોય ત્યારે આવા સન્માનનો અધિકારી બનતાં હોય છે. 

       કીર્તિ બહેને પણ એમનાં ઉપનામ ને સાર્થક કરતાં અનેક ઓજસ પાથર્યા છે.શિક્ષણ જગતે તેમની નોંધ લઈ તેમનાં" કાર્યની સરાહના કરીતે ઉલ્લેખનીય અને પ્રશંશનીય કાર્ય છે.



          પતિ ઓજસ સાથે કીર્તિબેન પટેલ

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...