KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા ગામે ૧૧ ઘર આગમાં બળીને નાશ પામ્યા છે.
જેમાં નવાગામ આદિવાસી વિસ્તાર છે. ત્યાંના લોકો નાનીમોટી અવકાશી ખેતી અને મજૂરી પર નિર્ભર છે.ત્યાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મીનેશભાઈ પટેલ અને ગૌરાંગભાઈ તથા તેમના ધર્મપત્ની દ્વારા અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તેમનાં જણાવ્યા અનુસાર ૧૧ ઘર બળીને ખાખ થઈ ગયા છે. ઘરવખરી, કરિયાણું, કપડાં વગેરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ નાશ પામી છે.
તો અમે અસરગ્રસ્તને વહારે આવવા અપીલ કરીએ છીએ
મીનેશભાઇ પટેલ તથા ગૌરાંગ ભાઈની ટીમ દ્વારા મદદ કરવા માટે નું આયોજન આ મુજબ છે.
1,વાસણો ની કીટ આપવી છે.એમાં.11 ઘર છે.તો આ મુજબ ઘર દીઠ, 2 તપેલી,3 થાળી વાટકી,2,અનાજના ડબ્બા ધાતુ ના,,અને..ચાદર,ધાબળા,ગોદળાં વગેરે..જો.તમારી ઈચ્છા હોય તો મીનેશભાઈ પટેલ.(શિક્ષક) 9924115453 નો સંપર્ક કરી
Comments
Post a Comment