ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નવા ગામે ૧૧ ઘર આગમાં બળીને નાશ પામ્યા છે.
જેમાં નવાગામ આદિવાસી વિસ્તાર છે. ત્યાંના લોકો નાનીમોટી અવકાશી ખેતી અને મજૂરી પર નિર્ભર છે.ત્યાં ફરજ બજાવતા શિક્ષક શ્રી મીનેશભાઈ પટેલ અને ગૌરાંગભાઈ તથા તેમના ધર્મપત્ની દ્વારા અસરગ્રસ્ત ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તેમનાં જણાવ્યા અનુસાર ૧૧ ઘર બળીને ખાખ થઈ ગયા છે. ઘરવખરી, કરિયાણું, કપડાં વગેરે જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ નાશ પામી છે.
તો અમે અસરગ્રસ્તને વહારે આવવા અપીલ કરીએ છીએ
મીનેશભાઇ પટેલ તથા ગૌરાંગ ભાઈની ટીમ દ્વારા મદદ કરવા માટે નું આયોજન આ મુજબ છે.
1,વાસણો ની કીટ આપવી છે.એમાં.11 ઘર છે.તો આ મુજબ ઘર દીઠ, 2 તપેલી,3 થાળી વાટકી,2,અનાજના ડબ્બા ધાતુ ના,,અને..ચાદર,ધાબળા,ગોદળાં વગેરે..જો.તમારી ઈચ્છા હોય તો મીનેશભાઈ પટેલ.(શિક્ષક) 9924115453 નો સંપર્ક કરી




Comments
Post a Comment