Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડની સરકારી ઇજનેરી કોલેજની જી ટી યુ ઇન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા.

           વલસાડની સરકારી ઇજનેરી કોલેજની જી ટી યુ ઇન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા.


ગુજરાત ઇન્ટર ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન જી ટી યુ દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની વિદ્યાર્થિનીઓની ટીમે યુનિવર્સિટીની સમગ્ર કોલેજો પૈકી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું હતું. 

ગર્લ્સ વોલીબોલ સ્પર્ધામાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની કુલ ૩ વિદ્યાર્થિની ખુશી પટેલ, નેહા થોરાટ અને ઝીલ ટંડેલ તેમજ બોય્સ વોલીબોલ સ્પર્ધામાં આર્યન ટંડેલ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી જી.ટી.યુ વોલીબોલ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પસંદગી પામેલા વિદ્યાર્થી એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીસ (એ.આઈ.યુ) દ્વારા આયોજિત વોલીબોલની સ્પર્ધામાં જી.ટી.યુ. નું પ્રતિનિધિત્વ કરશે. આ ઝળહળતી સફળતા બદલ સંસ્થાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. વી. ડી. ધીમન તથા આચાર્ય ડૉ.વી.એસ.પુરાણી દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને તથા ટીમ મેનેજર પ્રો. પી.જે.પટેલ તથા પ્રો. કે.એ.ચૌધરી તથા રાજકોટ ખાતે ટીમ સંચાલક પ્રો. ભૂમિકા દોમડીયાને  અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ ઈતર પ્રવૃત્તિઓમાં રસ દાખવે એ માટે કોલેજના આચાર્ય ડો. વી.એસ.પુરાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. 

સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ સપ્ટેમ્બર 

Comments