Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ.

              


લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબરે પદયાત્રા યોજાઈ.

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ના  ઉપક્રમે ૨જી ઓકટોબર ગાંધી જયંતિના ભાગરૂપે છેલ્લા ૪ વર્ષ થી અલગ અલગ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સત્યતા, પ્રકૃતિ, પર્યાવરણ અને આરોગ્ય સહિતના વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે.

જેમાં આ વર્ષે આવધા થી પિપરોળ વરસાદી દેવના ડુંગર સુધી પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન રસ્તામાં આવતા કુદરતી જોવાલાયક સ્થળો પર પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતો પ્લાસ્ટિકનો કચરો વણીને સાફસફાઇ કરી તેમજ પિપરોળ વરસાદી દેવના ડુંગર પર ૨૦૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

આ યાત્રામાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલમભાઈ પટેલ, સંસ્થાના કાર્યકર્તાઓ, ધરમપુર તાલુકાના આદિવાસી સમાજના અગ્રણી સમાજસેવક કમલેશભાઈ પટેલ,  તેમજ શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર, NSS વિભાગનાં વિદ્યાર્થીઓ સહિત ધરમપુર તાલુકાના યુવાનો યાત્રામાં જોડાયા હતા.




Comments