KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક, સંગીત ગાયન સ્પર્ધા
વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળો યોજાયો.
૧લી નવેમ્બરના રોજ "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" નિમિત્તે "આયુર્વેદ ફોર વન હેલ્થ" તથા "હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ" અંતર્ગત વાંસદા તાલુકાના જલારામ હોલ ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા. આયુષના પ્રચાર પ્રસાર અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે રાણી ફળિયાથી વાંસદા જલારામ હોલ સુધી ગુરુકુળ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં તમામ પદાધિકારીઓ આ રેલીમાં જોડાયા હતાં.
Comments
Post a Comment