Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામના આગેવાનો દ્વારા ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ.

       

ખેરગામના આગેવાનો દ્વારા  ક્રાન્તિકારી જનનાયક ભગવાન બીરસા મુંડાને શ્રધ્ધાંજલી અર્પણ.

તારીખ -૧૫-૧૧-૨૦૨૩નાં દિને ખેરગામ બીરસા મુંડા સર્કલ ખાતે ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની ૧૪૮મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ખેરગામ ગામના આગેવાનો દ્વારા ધરતી આબા ક્રાન્તિકારી જન નાયક ભગવાન બીરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ, ભૌતેશભાઈ કંસારા, રમેશભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ડૉ.સંજયભાઈ પટેલ,  કેતનભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વાડ ગામના આગેવાનો દિનેશભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





Comments