Skip to main content

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

            

ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

તારીખ :૨૪-૧૧-૨ ૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના બહેજ રૂપા ભવાની મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

આ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ કૃતિખડક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

આ કૃષિ મહોત્સવમાં  ડૉ. ખોડીપાડ, કૃષિ વૈજ્ઞાનિક દ્વારા અન્ન મિલેટ વક્તવ્ય અને પ્રશ્નોતરી રજૂ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતોમાં ૧. શ્રીમતી રેખાબેન - પ્રગતિશીલ ખેડુત -ગામ વાવ ૨. શ્રીમતી જીયાબેન આહિર- પ્રગતિશીલ પશુપાલક ૩. શ્રી ધર્મેશભાઈ લાડ - પ્રગતિશીલ ખેડુત- ગામ-પણંજ દ્વારા વક્તવ્ય, સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ અંગેનું વકતવ્ય સબ ઓડીટરશ્રી, જિલ્લા રજીસ્ટ્રાર સહકારીમંડળીઓની કચેરી નવસારી, શ્રી ડી.એન.ગરાસીયા, FPO ની કામગીરી અંગેનું વકતવ્ય શ્રી ભરતભાઈ સી પટેલ, ખેતી ખર્ચના ઘટાડા માટે ઈનપુટના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા વકતવ્ય અને પ્રશ્નોત્તરી ડો. હાર્દિક પી શાહ, કૃષિ વૈજ્ઞાનિક, ખેતી પાકોમાંથી ઈથેનોલના ઉત્પાદન અંગેનું વકતવ્ય,શ્રી જયેશભાઈ ડી પટેલ, સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લીમીટેડ,બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી અંગે બાગાયતી નિષ્ણાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું વકતવ્ય અને પ્રશ્નોત્તરી ડો. જે.એમ. વશી. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 

ત્યાર બાદ ખેરગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કૃષિ ફિલ્મનું પ્રસારણ, ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન માન. મુખ્ય મંત્રીશ્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. પદાધિકારીઓનું પ્રવચનમાં  પુર્વેશભાઈ ખાંડાવાલા (અધ્યક્ષશ્રી સામાજીક ન્યાય સમિતિ તા.પં. ખેરગામ),  શ્રી ભીખુભાઈ આહિર (સદસ્ય શ્રી જિલ્લા પંચાયત નવસારી),  માન. તાલુકા પંચાયત પ્રમુખશ્રી, રાજેશભાઈ પટેલ દ્વારા તેઓના પ્રવચનમાં પ્રાકૃતિક ખેતી પર ભાર, શિક્ષણ,પશુપાલન, સ્વાસ્થ્ય, અન્ન મીલેટ, કૃષિ મહોત્સવ,વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓ, કૃષિ પ્રદર્શન, બાગાયતી પાકો, બાબતે  વિચારો રજૂ કર્યા હતા.

ત્યારબાદ મહાનુભવોના વરદ હસ્તે ખેડૂતનું સન્માન, સેન્કશન ઓર્ડર/ પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 જેમાં ડેબરપાડા ગામના લલ્લુભાઇ મંજીભાઈ દેશમુખ,HRT-14(MIDH-TSP) યોજના હેઠળ પાવર ટિલરની સહાય રકમ ૬૦,૦૦૦ રૂપિયા, પાણીખડક ગામના યોગેશભાઇ ચંદુભાઇ માહલાને ફળ પાકો ઉત્પાકતા વધારવાનો કાર્યક્રમ હેઠળ ૩૮,૮૦૦ રૂપિયા સહાય, પાટી ગામના મણીલાલ બાબરભાઈ પટેલને HRT-3(અનુસુચિત જનજાતિ યોજના હેઠળ અર્ધપાકા મંડપ માટે ૨૫,૨૦૦ રૂપિયા, આછવણી ગામના મનુભાઈ સામજીભાઇ ભડકીયાને HRT-3(અનુસુચિત જનજાતિ યોજના હેઠળ કાચા મંડપ માટે ૧૩,૬૫૦ની સહાય, પાટી ગામના જીવણભાઈ નગીનભાઇ પટેલને સ્વયંમ સંચાલીત બાગાયત મશીનરી યોજના હેઠળ સ્વયંમ સંચાલીત બાગાયત મશીનરી માટે ૪૬,૦૦૦ રૂપિયા, રૂઝવણી ગામના મનોજભાઈ ઈશ્વરભાઈ પટેલ, બહેજ ગામના રાજેશભાઈ ધીરુભાઇ પટેલ, ખેરગામ ગામના ઠાકોરભાઇ બાવાભાઇ આહીર અને નાંધઈ ગામના જયેશભાઇ જેસિંગભાઈ પટેલને ચાફકટર યોજના હેઠળ ૧૮,૦૦૦ ની સહાય પેટે પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા.જ્યારે વાવ ગામના અંબુભાઈ છોટુભાઈ પટેલને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ  રોકડ સ્વરૂપે ૧૦,૦૦૦ રૂપિયા ડીબીટી ઈન્ડિયા દ્વારા આપવામાં આવ્યો હતો.

શ્રી એમ.પી. વિરાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત તમામ લાભાર્થી, મહાનુભવો, આયોજકો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.

શ્રી રાજેશભાઇ પટેલ માન.પ્રમુખશ્રી ખેરગામ તાલુકા પંચાયત અને કાર્યક્રમના અધ્યક્ષ, શ્રીમતી સુમિત્રાબેન ગરાસીયા અધ્યક્ષશ્રી જાહેર આરોગ્ય સમિતી નવસારી જિલ્લા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યશ્રી- ખેરગામ શ્રી ભીખુભાઇ આહિર, ઉપપ્રમુખશ્રી ખેરગામ તાલુકા પંચાયત લીનાબેન અમદાવાદી, શ્રી સુનિલભાઇ એન પટેલ કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત, શ્રી પુર્વેશભાઇ ખાંડાવાલા અધ્યક્ષશ્રી સામજીક ન્યાય સમિતી તાલુકા પંચાયત ખેરગામ, શ્રી આશિષભાઇ નાયક ઉપપ્રમુખશ્રી નવસારી જિલ્લા કિસાન મોર્ચા, સરપંચશ્રી બહેજ ગ્રામ પંચાયત શ્રીમતી ભાનુબેન રાજેશભાઇ પટેલ, અરવિંદભાઈ ગરાસિયા (આદિવાસી મોરચા પ્રમુખ),નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, બહેજ ગામના આગેવાન અનિલભાઈ પટેલ, ખેરગામના અગ્રણી ભૌતેશભાઇ કંસારા તથા જીવણભાઈ પટેલ, લિતેશ ગાવિંત ખેરગામ ભાજપ મહામંત્રી,ખેરગામ તાલુકાના કિસાન મોર્ચાના પ્રમુખ નારણભાઈ પટેલ, શ્રી સતીશભાઈ ઢીમ્મર નોડલ અને ના.ખે.નિ. (તાલીમ) નવસારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ ચાવડા સાહેબ, મામલતદારશ્રી ખેરગામ શ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી એમ.પી.વિરાણી, મદદનીશ ખેતી નિયામકશ્રી શ્રી મિતેષ ભોયા, શ્રી અશ્વિનભાઈ પટેલ  નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, શ્રી વિરલભાઈ પટેલ નાયબ મામલતદાર, શ્રી મિતેષ ભોયા મદદનિશ ખેતી નિયામકશ્રી,શ્રીમતી સોનલ સી પટેલ નાયબ મામલતદાર ખેરગામ,શ્રી જયેશ ગાયકવાડ વિસ્તરણ અધિકારીશ્રી ખેતી, મંચસ્ત અન્ય મહાનુભાવો,પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે.





Comments

Popular posts from this blog

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડળના પ્

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

  Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો મ

Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો

  Valsad: જાપાનમાં યોજાયેલા સકુરા એક્સચેન્જ પ્રોગામમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના ઉમરગામના વિદ્યાર્થીએ બિચ ક્લિનર પ્રોજેક્ટ રજૂ કર્યો  જાપાનનો શૈક્ષણિક પ્રવાસ કરી ઉમરગામના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાનો વિદ્યાર્થી પરત ફર્યો  આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, ડિપ બ્લ્યુ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિતના અત્યાધુનિક પ્રોજેક્ટ બતાવવામાં આવ્યા જાપાનની સૌથી જૂની યુનિવર્સિટીના રિસર્ચ રૂમ એડવાન્સ ટેકનોલોજી નિહાળી વિદ્યાર્થીઓ અચંબામાં પડ્યા  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૦ જુલાઈ  ભારત સરકારના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક પ્રોજેક્ટ- સકુરા એક્સચેન્જ પ્રોગામ અંતર્ગત ગુજરાતમાંથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થી જૈનિલ યોગેશભાઈ માંગેલાના ‘‘બિચ ક્લિનર’’ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જે સંદર્ભે તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યુ છે.    જાપાનના શૈક્ષણિક પ્રવાસમાં જુદા જુદા રાજ્યમાંથી ૨૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૮ દ