Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ધરમપુર ખાતે ક્રાંતિકારી જન નાયક બીરસા જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાજંલી આપવામાં આવી.

    

તારીખ : 15/11/2023 ના દિને ક્રાંતિકારી બિરસામુંડા સર્કલ,ધરમપુર ખાતે બિરસામુંડાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

જળ, જંગલ અને  જમીન બચાવવા માટે સઘર્ષ કરનાર ક્રાંતિકારી યોદ્ધા એ માત્ર 25 વર્ષ ની ઉંમરે બ્રિટિશ શાસનના પાયા હચામચવી નાખનાર, દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર,આદિવાસીઓ માટે આજીવન સઘર્ષ કરનાર મહામાનવ,ધરતી આબા જનનાયક આદિવાસી નેતા ક્રાંતિકારી બિરસા મુંડાજીને 148 મી જન્મ જયંતી પર ધરમપુરનાં આગેવાનો દ્વારા બિરસામુંડાને પુષ્પમાળા પહેરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

જેમાં ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલ, વિજયભાઈ અટાર, કમલેશ પટેલ, હેમંત પટેલ, હાર્દિક પટેલ, પ્રણય પટેલ, નીરવ પટેલ, નિર્મલ સુરતી, યોગેશ ભાઈ,પરિમલભાઈ,વિશાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Comments