Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.


વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.

 વાંસદા તાલુકાની શ્રી સદગુરુ હાઇસ્કૂલ, ભીનાર ખાતે અભ્યાસ કરી જીવનમાં ઉન્નત શિખરો સર કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં અને ગ્રામજનોની ઉપસ્થિતમાં યોજાયો હતો. ૮૭ વર્ષની ઉંમરે ગામના મુરબ્બી વડીલ કલ્યાણભાઈ પટેલ પણ પોતાના વ્યક્તવ્યથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના વિકાસમાં વધુમાં વધુ આર્થિક યોગદાન આપવાની હાકલ કરી પોતે આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ આચાર્ય મોહનભાઈ ટંડેલે જણાવ્યું હતું કે શાળાની તાતી જરૂરિયાત હાલ વિજ્ઞાનપ્રવાહ અને શાળા વિકાસની છે. શાળાના ભૂતપૂર્વ આચાર્ય બાપુભાઈ એન એન. પટેલ પોતાના સેવાકાળમાં અભ્યાસ કરી ગયેલા સફળ વિદ્યાર્થીઓની વાતોને વાગોળી હતી. 


વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થિની દિપ્તીબેને શાળાના ઉત્તરોતર વિકાસમાં વિશેષ યોગદાન અને શાળાની જરૂરિયાતોમાં તાલુકામાંથી સહકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે આવનાર સમયમાં ભીનારની સદગુરુ હાઈસ્કૂલમાંથી ડોક્ટરો, ઇજનેરો તથા કલાસ વન અને કલાસ ટુ ઓફિસરો બની સમાજમાં શાળાનું નામ રોશન કરશે એવી આશા વ્યકત કરી હતી.

શાળા માટે આર્થિક સહાય તથા ફંડમાંથી અનુદાન માટે તત્પરતા દર્શાવી હતી. સુરતના દાતા મયુર તલાટીએ શાળાને ઈ૦ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં બીલીમોરાથી સમાજ સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી જયભાઈ મિસ્ત્રીએ પણ શાળાના વિકાસ માટે જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ગરબા ત્યારબાદ દેશભક્તિ સોંગ થીમ આધારિત નૃત્ય, આદિવાસી નૃત્ય અને ડાંગની સાંસ્કૃતિક ધરોધર તરીકે પ્રખ્યાત પાવરી નૃત્ય રજુ કરાયાં હતાં. 


દરેક કૃતિઓ પર પ્રોત્સાહન રોકડ ઈનામો પ્રાપ્ત થયા હતા.મંચસ્થ મહાનુભાવો, ભૂતપૂર્વ શાળાના આચાર્ય, શિક્ષકો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાલ ઓઢાડીને તથા સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાથીઓમાં ભીનાર ગામના સરપંચ જીતેન્દ્ર પટેલ, પ્રોફેસર વર્ષોબેન પટેલ, વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સેવા બજાવતા ચંપકેશભાઈ પટેલ, પાલગભાણના પ્રાથમિક શિક્ષક દીપક પટેલ તથા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય આરોગ્ય વિભાગના ઓફિસર ડો. અનીલભાઈ, શિક્ષકા ભાવિની પટેલે શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

શાળાના આચાર્ય દિનેશભાઈ જે પટેલે પોતાના સેવાકાળ દરમ્યાન શાળા વિકાસ અને વિજ્ઞાનપ્રવાહની અદ્યતન સુવિધાયુક્ત લેબ સ્માર્ટ કલાસરૂમ ઊભી કરીને આદિવાસી તથા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિજયભાઈ કુરકુટિયા તથા શિક્ષકા મિતલબેન દશોદીએ તથા આભારવિધિ પ્રસંશા પરમારે કરી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ભીનારના સરપંચ, સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંતભાઈ પટેલ, ડો. વિજય પટેલ, ઉનાઈના સરપંચ મનીષભાઈ પટેલ, મયુર પટેલ ( ગોકુળ ડેરી) વગેરેએ પ્રોત્સાહક ઉપસ્થિતિ દાખવી હતી.

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

       Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  #ECI   @ECISVEEP   pic.twitter.com/BuhS1P3WgJ — DDO Valsad (@DDO_VALSAD)  April 12, 2024

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ચીખલી તાલુકાના રૂમલા ખાતે ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રકતદાન શિબિર અને નેત્ર નિદાન કેમ્પ યોજાયો. તારીખ ૨૫-૧૨-૨૦૨૩ના દિને  ચીખલી તાલુકાના રૂમલા ખાતે ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના માતૃશ્રી સ્વ. મોગરીબાની ૧૩મી પૂણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.   જેમાં નવસારી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ખેરગામ પોલિસ સ્ટેશન પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તેમજ ખેરગામ વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી યોગદાન આપ્યું હતું. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.સૌ લાભાર્થીઓનો નરેશભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શાંતિપાઠ અને ભજન કાર્યક્રમમાં વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન તથા તાલુકા અને જિલ્લાના આગેવાનો તેમજ પોલીસ અધિકારી તથા પોલીસ જવાનો, રક્ત...