Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.


વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.

 વાંસદા તાલુકાની શ્રી સદગુરુ હાઇસ્કૂલ, ભીનાર ખાતે અભ્યાસ કરી જીવનમાં ઉન્નત શિખરો સર કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં અને ગ્રામજનોની ઉપસ્થિતમાં યોજાયો હતો. ૮૭ વર્ષની ઉંમરે ગામના મુરબ્બી વડીલ કલ્યાણભાઈ પટેલ પણ પોતાના વ્યક્તવ્યથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના વિકાસમાં વધુમાં વધુ આર્થિક યોગદાન આપવાની હાકલ કરી પોતે આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ આચાર્ય મોહનભાઈ ટંડેલે જણાવ્યું હતું કે શાળાની તાતી જરૂરિયાત હાલ વિજ્ઞાનપ્રવાહ અને શાળા વિકાસની છે. શાળાના ભૂતપૂર્વ આચાર્ય બાપુભાઈ એન એન. પટેલ પોતાના સેવાકાળમાં અભ્યાસ કરી ગયેલા સફળ વિદ્યાર્થીઓની વાતોને વાગોળી હતી. 


વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થિની દિપ્તીબેને શાળાના ઉત્તરોતર વિકાસમાં વિશેષ યોગદાન અને શાળાની જરૂરિયાતોમાં તાલુકામાંથી સહકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે આવનાર સમયમાં ભીનારની સદગુરુ હાઈસ્કૂલમાંથી ડોક્ટરો, ઇજનેરો તથા કલાસ વન અને કલાસ ટુ ઓફિસરો બની સમાજમાં શાળાનું નામ રોશન કરશે એવી આશા વ્યકત કરી હતી.

શાળા માટે આર્થિક સહાય તથા ફંડમાંથી અનુદાન માટે તત્પરતા દર્શાવી હતી. સુરતના દાતા મયુર તલાટીએ શાળાને ઈ૦ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં બીલીમોરાથી સમાજ સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી જયભાઈ મિસ્ત્રીએ પણ શાળાના વિકાસ માટે જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ગરબા ત્યારબાદ દેશભક્તિ સોંગ થીમ આધારિત નૃત્ય, આદિવાસી નૃત્ય અને ડાંગની સાંસ્કૃતિક ધરોધર તરીકે પ્રખ્યાત પાવરી નૃત્ય રજુ કરાયાં હતાં. 


દરેક કૃતિઓ પર પ્રોત્સાહન રોકડ ઈનામો પ્રાપ્ત થયા હતા.મંચસ્થ મહાનુભાવો, ભૂતપૂર્વ શાળાના આચાર્ય, શિક્ષકો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાલ ઓઢાડીને તથા સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાથીઓમાં ભીનાર ગામના સરપંચ જીતેન્દ્ર પટેલ, પ્રોફેસર વર્ષોબેન પટેલ, વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સેવા બજાવતા ચંપકેશભાઈ પટેલ, પાલગભાણના પ્રાથમિક શિક્ષક દીપક પટેલ તથા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય આરોગ્ય વિભાગના ઓફિસર ડો. અનીલભાઈ, શિક્ષકા ભાવિની પટેલે શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

શાળાના આચાર્ય દિનેશભાઈ જે પટેલે પોતાના સેવાકાળ દરમ્યાન શાળા વિકાસ અને વિજ્ઞાનપ્રવાહની અદ્યતન સુવિધાયુક્ત લેબ સ્માર્ટ કલાસરૂમ ઊભી કરીને આદિવાસી તથા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિજયભાઈ કુરકુટિયા તથા શિક્ષકા મિતલબેન દશોદીએ તથા આભારવિધિ પ્રસંશા પરમારે કરી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ભીનારના સરપંચ, સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંતભાઈ પટેલ, ડો. વિજય પટેલ, ઉનાઈના સરપંચ મનીષભાઈ પટેલ, મયુર પટેલ ( ગોકુળ ડેરી) વગેરેએ પ્રોત્સાહક ઉપસ્થિતિ દાખવી હતી.

Comments

Popular posts from this blog

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

     વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

  Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

    Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.