Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.


વાંસદા તાલુકાના ભીનારની સદગુરુ હાઇસ્કૂલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો.

 વાંસદા તાલુકાની શ્રી સદગુરુ હાઇસ્કૂલ, ભીનાર ખાતે અભ્યાસ કરી જીવનમાં ઉન્નત શિખરો સર કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં અને ગ્રામજનોની ઉપસ્થિતમાં યોજાયો હતો. ૮૭ વર્ષની ઉંમરે ગામના મુરબ્બી વડીલ કલ્યાણભાઈ પટેલ પણ પોતાના વ્યક્તવ્યથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળાના વિકાસમાં વધુમાં વધુ આર્થિક યોગદાન આપવાની હાકલ કરી પોતે આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ આચાર્ય મોહનભાઈ ટંડેલે જણાવ્યું હતું કે શાળાની તાતી જરૂરિયાત હાલ વિજ્ઞાનપ્રવાહ અને શાળા વિકાસની છે. શાળાના ભૂતપૂર્વ આચાર્ય બાપુભાઈ એન એન. પટેલ પોતાના સેવાકાળમાં અભ્યાસ કરી ગયેલા સફળ વિદ્યાર્થીઓની વાતોને વાગોળી હતી. 


વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થિની દિપ્તીબેને શાળાના ઉત્તરોતર વિકાસમાં વિશેષ યોગદાન અને શાળાની જરૂરિયાતોમાં તાલુકામાંથી સહકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે આવનાર સમયમાં ભીનારની સદગુરુ હાઈસ્કૂલમાંથી ડોક્ટરો, ઇજનેરો તથા કલાસ વન અને કલાસ ટુ ઓફિસરો બની સમાજમાં શાળાનું નામ રોશન કરશે એવી આશા વ્યકત કરી હતી.

શાળા માટે આર્થિક સહાય તથા ફંડમાંથી અનુદાન માટે તત્પરતા દર્શાવી હતી. સુરતના દાતા મયુર તલાટીએ શાળાને ઈ૦ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં બીલીમોરાથી સમાજ સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શ્રી જયભાઈ મિસ્ત્રીએ પણ શાળાના વિકાસ માટે જરૂરી સહાય આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં ગરબા ત્યારબાદ દેશભક્તિ સોંગ થીમ આધારિત નૃત્ય, આદિવાસી નૃત્ય અને ડાંગની સાંસ્કૃતિક ધરોધર તરીકે પ્રખ્યાત પાવરી નૃત્ય રજુ કરાયાં હતાં. 


દરેક કૃતિઓ પર પ્રોત્સાહન રોકડ ઈનામો પ્રાપ્ત થયા હતા.મંચસ્થ મહાનુભાવો, ભૂતપૂર્વ શાળાના આચાર્ય, શિક્ષકો અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાલ ઓઢાડીને તથા સ્મૃતિ ભેટ અને સન્માનપત્ર અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાથીઓમાં ભીનાર ગામના સરપંચ જીતેન્દ્ર પટેલ, પ્રોફેસર વર્ષોબેન પટેલ, વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં સેવા બજાવતા ચંપકેશભાઈ પટેલ, પાલગભાણના પ્રાથમિક શિક્ષક દીપક પટેલ તથા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય આરોગ્ય વિભાગના ઓફિસર ડો. અનીલભાઈ, શિક્ષકા ભાવિની પટેલે શાળાના શિક્ષકોનો આભાર વ્યક્ત કરતા પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.

શાળાના આચાર્ય દિનેશભાઈ જે પટેલે પોતાના સેવાકાળ દરમ્યાન શાળા વિકાસ અને વિજ્ઞાનપ્રવાહની અદ્યતન સુવિધાયુક્ત લેબ સ્માર્ટ કલાસરૂમ ઊભી કરીને આદિવાસી તથા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિજયભાઈ કુરકુટિયા તથા શિક્ષકા મિતલબેન દશોદીએ તથા આભારવિધિ પ્રસંશા પરમારે કરી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ભીનારના સરપંચ, સાંઈનાથ હોસ્પીટલના ડો. હેમંતભાઈ પટેલ, ડો. વિજય પટેલ, ઉનાઈના સરપંચ મનીષભાઈ પટેલ, મયુર પટેલ ( ગોકુળ ડેરી) વગેરેએ પ્રોત્સાહક ઉપસ્થિતિ દાખવી હતી.

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...