Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

   


વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

રક્તદાનને મહાદાન એટલા માટે જ કહેવાય છે કે આ દાન થકી અન્યોને નવું જીવન મળે છે. ત્યારે વલસાડના છીપવાડ વાવડી વિસ્તારના સેવાભાવી યુવાન મિતેશ હર્ષદ ભંડારી (મોન્ટુ) રક્તદાનને જીવન મંત્ર બનાવી ૧૦ ડિસેબરે પોતાની જીવન સંગીની દિપ્તી ભંડારીના જન્મદિવસે ૧૦૦મી વખત રક્તદાન કરી પત્નીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. વલસાડ રક્તદાન કેન્દ્રના ૧૪માં શતક રક્તદાતા બનવાનું શ્રેય મેળવી પરિવારને ગૌરવવંત કર્યું છે.


વલસાડના મિતેશ ભંડારી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૦૪માં ૧૯ વર્ષની વયે સૌ પ્રથમ વખત રકતદાન કરી છેલ્લા ૧૯ વર્ષોમાં સમયાંતરે રક્તદાન કરી શતક રક્તદાતા બન્યા છે. સાથો સાથ માત્ર ૩૮ વર્ષની વયે રક્તદાનની સેન્ચુરી પૂર્ણ કરનાર સૌથી યુવાન સેન્ચુરિયન ડોનર પણ બન્યા છે. તેમના ૧૦૦માં રકતદાન પ્રસંગે વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. યઝદી ઇટાલિયા તથા ડૉ. વિશાલ મહેતા દ્વારા મિતેશ ભંડારીને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી એમની સેવાને બિરદાવવામાં આવી હતી. નાની છીપવાડ યુવક મંડળ તરફથી ભીખુ ભાવસાર દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગેરક્તદાન કેન્દ્રના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કમલ પટેલ, મેડિકલ સોશિયલ વર્કર ડૉ. અભિષેક મિસ્ત્રી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રિતી મિસ્ત્રી, ઉમીયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના કેપ્ટન અશોક પટેલ, છીપવાડ દાણાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ સમીર મપારા, શતકવીર રકતદાતાઓ સુનિલ પટેલ, મનોજ કાપડીયા તથા બહોળા મિત્ર વર્ગે હાજર રહી પુષ્પગુચ્છ અર્પણ કરી એમની વિરલ સિધ્ધીને બિરદાવી હતી. મિતેશ આજ દિન સુધી નિયમિત રક્તદાન અને સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરી લોકોને ઉપયોગી બન્યા છે. 

વલસાડ રકતદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને શતક રક્તદાતા ભાવેશએ ૧૩૧ વખત અને શતક રક્તદાતા ભીખુ ભાવસારે ૧૨૦ મું રકતદાન કરી પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી. રક્તદાનને પોતાના જીવનમંત્ર બનાવનારા મિતશ ભંડારીએ પત્નીનાં જન્મદિવસને યાદગાર બનાવવા ૧૦૦મું રક્તદાન કર્યુ.

Image source: valsad vasi (fb)

Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024