Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

   


વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

રક્તદાનને મહાદાન એટલા માટે જ કહેવાય છે કે આ દાન થકી અન્યોને નવું જીવન મળે છે. ત્યારે વલસાડના છીપવાડ વાવડી વિસ્તારના સેવાભાવી યુવાન મિતેશ હર્ષદ ભંડારી (મોન્ટુ) રક્તદાનને જીવન મંત્ર બનાવી ૧૦ ડિસેબરે પોતાની જીવન સંગીની દિપ્તી ભંડારીના જન્મદિવસે ૧૦૦મી વખત રક્તદાન કરી પત્નીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. વલસાડ રક્તદાન કેન્દ્રના ૧૪માં શતક રક્તદાતા બનવાનું શ્રેય મેળવી પરિવારને ગૌરવવંત કર્યું છે.


વલસાડના મિતેશ ભંડારી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૦૪માં ૧૯ વર્ષની વયે સૌ પ્રથમ વખત રકતદાન કરી છેલ્લા ૧૯ વર્ષોમાં સમયાંતરે રક્તદાન કરી શતક રક્તદાતા બન્યા છે. સાથો સાથ માત્ર ૩૮ વર્ષની વયે રક્તદાનની સેન્ચુરી પૂર્ણ કરનાર સૌથી યુવાન સેન્ચુરિયન ડોનર પણ બન્યા છે. તેમના ૧૦૦માં રકતદાન પ્રસંગે વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. યઝદી ઇટાલિયા તથા ડૉ. વિશાલ મહેતા દ્વારા મિતેશ ભંડારીને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી એમની સેવાને બિરદાવવામાં આવી હતી. નાની છીપવાડ યુવક મંડળ તરફથી ભીખુ ભાવસાર દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગેરક્તદાન કેન્દ્રના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કમલ પટેલ, મેડિકલ સોશિયલ વર્કર ડૉ. અભિષેક મિસ્ત્રી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રિતી મિસ્ત્રી, ઉમીયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના કેપ્ટન અશોક પટેલ, છીપવાડ દાણાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ સમીર મપારા, શતકવીર રકતદાતાઓ સુનિલ પટેલ, મનોજ કાપડીયા તથા બહોળા મિત્ર વર્ગે હાજર રહી પુષ્પગુચ્છ અર્પણ કરી એમની વિરલ સિધ્ધીને બિરદાવી હતી. મિતેશ આજ દિન સુધી નિયમિત રક્તદાન અને સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરી લોકોને ઉપયોગી બન્યા છે. 

વલસાડ રકતદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને શતક રક્તદાતા ભાવેશએ ૧૩૧ વખત અને શતક રક્તદાતા ભીખુ ભાવસારે ૧૨૦ મું રકતદાન કરી પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી. રક્તદાનને પોતાના જીવનમંત્ર બનાવનારા મિતશ ભંડારીએ પત્નીનાં જન્મદિવસને યાદગાર બનાવવા ૧૦૦મું રક્તદાન કર્યુ.

Image source: valsad vasi (fb)

Comments

Popular posts from this blog

મામલતદાર કચેરી ખેરગામ ખાતે મધ્યાહન ભોજન અંતર્ગત મિટિંગ યોજાઈ.

   તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી ખેરગામ ખાતે મુખ્ય શિક્ષકશ્રીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નિમ્ન લિખિત મુદ્દાઓની વિગતે સૂચના આપવામાં આવી હતી. ૧. જે પણ શાળાની રજીસ્ટર સંખ્યા અપડેટ કરવાની બાકી હોય એમણે તાત્કાલિક સંખ્યા અપડેટ કરવા અંગે સૂચના આપવામાં આવી. ૨. દરેક શાળા દ્વારા એન.જી.ઓ ના કર્મચારીને અપાતા વર્ધીના આકડાં તને અત્રેની કચેરીને અપાતા વર્ધીના આકડામાં તફાવત આવતો હોય તેમજ લાભાર્થી કરતા વધારે વર્ધી આપવા અંગેનાં કારણો વિશે ચર્ચા કરવામાં આવી. ૩. ઓનલાઇન DAILY ENTRY કરો છો ત્યારે ધોરણ ૧ થી ૫ માં બાલવાટિકાના બાળકોને ઉમેરીને એંટ્રી કરવી. તેમજ લાલ પીળા પત્રકો અને ઓનલાઈન કરવામાં આવતી સંખ્યા એકસરખી રહેવી જોઈએ . મોર્નીંગ શાળા હોય તો ૧.૦૦ વાગ્યા સુધી અને આખા દિવસ હોય તો ૩.૦૦ વાગ્યા સુધીમા ફરજીયાત એટ્રી કરવા જણાવ્યું હતું. ૪. જે દિવસે શાળામાં તિથિ ભોજન રાખવામા આવેલ હોય તે દિવસે ખાસ ધ્યાન રાખવુ કે, તિથિ ભોજન પર ટિક એટલે કે ખરાની નિશાની કરવાનુ ચુકીના જવાય જેથી ઓનલાઇન આંકડામાં તફાવત ન આવે. ૫. જે શાળામાં મધ્યાહન ભોજન શાળાના સમય કરતા વહેલું આવી જાય ,ત્યારે ભોજન વ્યવસ્થિત જગ્યા ...

Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

            Vansda (Singad Pra School) :વાંસદા તાલુકાની સીંગાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના સીંગાડ ગામની પ્રાથમિક શાળામાં સાંસદ ડો. કે.સી.પટેલના અધ્યક્ષપદે વાલી સંમેલન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સામાજિક કાર્યકર રમણભાઈ એલ. પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્દઘાટન થયું હતું. નવીનભાઈ એસ. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અતિથિઓમાં પ્રમુખ વાંસદા તાલુકા પંચાયત દીપ્તિબેન પી. પટેલ, ઉપપ્રમુખ વાંસદા તાલુકા પંચાયત માધુભાઈ વી. પટેલ, કારોબારી અધ્યક્ષ વાંસદા તાલુકા પંચાયત તરુણભાઇ બી. ગાંવિત, ઉપપ્રમુખ ગ્રામ સેવામંડળ વિજયભાઈ માહલા, વાંસદા તાલુકાના સક્રિય આગેવાન રાકેશભાઈ શર્માનો સમાવેશ થતો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સીંગાડ ગામના સરપંચ ઉમાબેન વી. પટેલ, આગેવાનો, વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ અશ્વિનભાઇ પી. પટેલ, ગામના સામાજિક આગેવાન વિજયભાઈ આર. પટેલ, શાળાના આચાર્ય અને શાળા પરિવાર, એસ. એમ.સી.ના સભ્યો તથા શાળાના તમામ હિતેચ્છુઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનાં આમંત્રણ  અન...

ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી.

 ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી. ડાંગ જિલ્લામાં She Team દ્વારા ભવિષ્ય ને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો ના શક્તિશાળી માર્ગદર્શન અને તેના સમર્પણને માન આપી ” શિક્ષક દિન" નિમિત્તે સ્કૂલોમાં જઈ શુભેચ્છા પાઠવી. @CMOGuj   @sanghaviharsh   @dgpgujarat   @GujaratPolice   pic.twitter.com/XuXFOArFZr — SP DANG (@SPDangAhwa)  September 5, 2024