Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

   


વલસાડ છીપવાડના યુવાન મિતેશ ભંડારીને રક્તદાનની સદી પૂર્ણ કરતા સમ્માનિત કરાયા.

રક્તદાનને મહાદાન એટલા માટે જ કહેવાય છે કે આ દાન થકી અન્યોને નવું જીવન મળે છે. ત્યારે વલસાડના છીપવાડ વાવડી વિસ્તારના સેવાભાવી યુવાન મિતેશ હર્ષદ ભંડારી (મોન્ટુ) રક્તદાનને જીવન મંત્ર બનાવી ૧૦ ડિસેબરે પોતાની જીવન સંગીની દિપ્તી ભંડારીના જન્મદિવસે ૧૦૦મી વખત રક્તદાન કરી પત્નીના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. વલસાડ રક્તદાન કેન્દ્રના ૧૪માં શતક રક્તદાતા બનવાનું શ્રેય મેળવી પરિવારને ગૌરવવંત કર્યું છે.


વલસાડના મિતેશ ભંડારી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૦૪માં ૧૯ વર્ષની વયે સૌ પ્રથમ વખત રકતદાન કરી છેલ્લા ૧૯ વર્ષોમાં સમયાંતરે રક્તદાન કરી શતક રક્તદાતા બન્યા છે. સાથો સાથ માત્ર ૩૮ વર્ષની વયે રક્તદાનની સેન્ચુરી પૂર્ણ કરનાર સૌથી યુવાન સેન્ચુરિયન ડોનર પણ બન્યા છે. તેમના ૧૦૦માં રકતદાન પ્રસંગે વલસાડ રકતદાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. યઝદી ઇટાલિયા તથા ડૉ. વિશાલ મહેતા દ્વારા મિતેશ ભંડારીને શાલ ઓઢાડી તથા મોમેન્ટો અર્પણ કરી એમની સેવાને બિરદાવવામાં આવી હતી. નાની છીપવાડ યુવક મંડળ તરફથી ભીખુ ભાવસાર દ્વારા પણ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ. 

આ પ્રસંગેરક્તદાન કેન્દ્રના મેડિકલ ડાયરેક્ટર ડૉ. કમલ પટેલ, મેડિકલ સોશિયલ વર્કર ડૉ. અભિષેક મિસ્ત્રી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રિતી મિસ્ત્રી, ઉમીયા સોશિયલ ટ્રસ્ટ વલસાડના કેપ્ટન અશોક પટેલ, છીપવાડ દાણાબજાર વેપારી એસોસિએશનના પ્રમુખ સમીર મપારા, શતકવીર રકતદાતાઓ સુનિલ પટેલ, મનોજ કાપડીયા તથા બહોળા મિત્ર વર્ગે હાજર રહી પુષ્પગુચ્છ અર્પણ કરી એમની વિરલ સિધ્ધીને બિરદાવી હતી. મિતેશ આજ દિન સુધી નિયમિત રક્તદાન અને સિંગલ ડોનર પ્લેટલેટ ડોનેશન કરી લોકોને ઉપયોગી બન્યા છે. 

વલસાડ રકતદાન કેન્દ્રના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને શતક રક્તદાતા ભાવેશએ ૧૩૧ વખત અને શતક રક્તદાતા ભીખુ ભાવસારે ૧૨૦ મું રકતદાન કરી પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી. રક્તદાનને પોતાના જીવનમંત્ર બનાવનારા મિતશ ભંડારીએ પત્નીનાં જન્મદિવસને યાદગાર બનાવવા ૧૦૦મું રક્તદાન કર્યુ.

Image source: valsad vasi (fb)

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...