Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું.

              

ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું.

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે સમાજવાડીમાં રવિવારે ધોડિયા સમાજના તબીબોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુસ્તક વિમોચન સાથે સમાજના પ્રતિભાશાળી તબીબોનું સન્માન કરાયું હતું. સમાજની ભાતીગળ સંસ્કૃતિ જીવંત બની હતી. ૧૦૦૦ જેટલા ડોક્ટર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ધોડિયા સમાજના ડોક્ટર એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ડિસેમ્બરમા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો છે. પ્રકૃતિની પૂજા સાથે સ્નેહમિલનનો પ્રારંભ કરાયો હતો.


આ પ્રસંગે ધોડિયા જ્ઞાતિની પરંપરાગત સાંસ્કૃતિક વારસાની પ્રદર્શની પણ મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ડો. ગુલાબભાઈ પટેલ લિખિત જનરલ સર્જરી પુસ્તકનું વિમોચન કરાયું હતું. સિનિયર ડો.એ.જી.પટેલ (આહવા)ને ભાવનગર ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થતા સન્માન કરાયું હતું. ડો. કલ્યાણજીભાઈ પટેલ, ડો. પ્રદીપભાઈ, સિકલસેલ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોતિષ પટેલ, સર્પદંસ સ્પેશિયાલિસ્ટ ડો. ડી.સી.પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 


ડો. પ્રદીપભાઈ દ્વારા આદિવાસી બાળકોને જે ભણવામાં સહાય આપવામાં આવી હતી તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. અને સમાજને સૌને એકત્રિત થઈ રહેવા અપીલ કરી હતી. સાથે જ ડોક્ટર એસોસિયેશનના સેક્રેટરી ડો. લોચન શાસ્ત્રીએ કોરોનાકાળના અનાથ બાળકોને શોધી એમને મદદ કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે સૌએ ધોડિયા જ્ઞાતિનું તૂર નૃત્ય માણ્યું હતું.



Comments