Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

       


તારીખ : ૨૩/૧૨/૨૦૨૩ના દિને ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

જેમનું આયોજન જિલ્લા કક્ષાએથી કરવામાં આવ્યું હતું. ખેરગામ નામદાર મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ ના હસ્તે  દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

 ખેરગામ તાલુકાની શાળાઓમાંથી  માધ્યમિક અને પ્રાથમિક શાળા  શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી કુલ 42 જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો.  

જેમાં ૯ થી ૧૮ વર્ષની વયના જૂથમાં દર્શનકુમાર હસમુખભાઈ પટેલ વાડ માધ્યમિક શાળા અને કૃતિકાબેન રમેશભાઈ પટેલ પાણીખડક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વિજેતા, 

૨૦ થી ૪૦ વય જૂથમાં નારણપોર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અને તેજલાવના રહેવાસી નિલયકુમાર અમ્રતલાલ પટેલ વિજેતા,

 ૪૦ થી ૧૦૦ વય જૂથમાં શાળા રૂમલા  અને રહેવાસી રૂમલાના સંગીતાબેન સતીષભાઈ પટેલ અને  જનતા માધ્યમિક શાળા અને મુ. જનતા માધ્યમિક શાળા ખેરગામના કેતનભાઈ ચીમનભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

       તાલુકા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધામાં પ્રથમ આવનાર ત્રણ સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં  ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમમાં ખેરગામ નામદાર મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ, જનતા માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ ચેતનભાઈ પટેલ, નવસારી જીલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, નિર્ણાયક તરીકે (ગુજરાત રાજ્ય યોગ બોર્ડ)  અમીતભાઈ પટેલ નિમિષાબેન, કુમાર શાળાનાં આચાર્ય /ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, પત્રકાર વિનોદભાઈ મિસ્ત્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.




Comments