Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડની સેગવી સર્વોદય હાઇસ્કૂલમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ.

     


વલસાડની સેગવી સર્વોદય હાઇસ્કૂલમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લુ મુકાયુ.

--- કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષયનું જીવનમાં મહત્વ સમજાવ્યું.

 ગાંધીનગર જીસીઈઆરટી પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને સેગવીની સર્વોદય હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્દઘાટન વલસાડ જિલ્લાના સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતા શાળાઓના ૫૦ પ્રોજેક્ટ આ પ્રદર્શનમાં રજૂ થનાર છે અને એમાં વિજેતા શાળાઓ ઝોન કક્ષાએ રજૂ થશે.  


સમારોહમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી એમ. સી. ભૂસારા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ સુનિલભાઈ એન. પટેલ તથા રીતેશભાઈ પટેલ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ ઘટક સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મનન લાલભાઇ ફાઉન્ડેશન, સુરતના ટ્રસ્ટી અંજનાબેન મનન લાલભાઇ, સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલ તથા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પંકજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના પ્રેરક ઉદ્દબોધન દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષયનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. 


જિલ્લા શિક્ષણાધિકારીએ ખૂબ જ સાહજિક શૈલીમાં વિદ્યાર્થીઓને અર્ધજાગ્રત મનની શક્તિ વિષે સમજ આપી હતી. ઉપરાંત અન્ય આમંત્રિત હોદ્દેદારોએ પણ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્દબોધન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. વિજ્ઞાન મંડળ દ્વારા રાષ્ટીય સ્તરે પ્રોજેક્ટ રજૂ કરી જિલ્લાનું નામ રોશન કરનાર સાર્વજનિક હાઈસ્કૂલ, ડુંગરીના બે વિદ્યાર્થીઓ પાર્થ અને ધ્યેયને કલેક્ટરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યા ઉન્નતિ દેસાઇએ સૌને આવકાર્યા હતા અને સૌ શિક્ષણ પ્રેમીઓને ૯ ડિસેમ્બર સુધી ચાલનાર આ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આમંત્રણ આપ્યું હતું. 


માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૮ ડિસેમ્બર  

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...