Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

         

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈનું ૧૭ મું દ્વિવાર્ષિક સંમેલન તા.૭/૧/૨૦૨૪ ને રવિવારના રોજ મળ્યું હતું. મંડળે સ્થાપના  ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 

આજનું દ્વિવાર્ષિક સંમેલન ITBP, અરૂણાચલ પ્રદેશ ખાતે પેરા મિલેટરી ફોર્સના DIG (Medical) તરીકે ફરજો બજાવતા ધોડિયા સમાજના “નારી રત્ન” એવા શ્રીમતિ રીતાબેનના પ્રમુખ સ્થાને મળી હતી. 

તેમની સાથે તેમના પિતા અને ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉ. ગંભીરભાઈ  અને તેમના યુ.કે. સ્થિત ભાઈ રાજનભાઈ તેમના પત્ની શ્રીમતિ પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહયા હતા. 

આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડૉ. કે.સી.પટેલ, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા, પૂર્વ.ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન પટેલ, સામાજીક કાર્યકર શ્રી નરદેવભાઈ પટેલ, ધોડિયા મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડૉ.એ.જી.પટેલ, ગુજરાત યુનિ. ના કેમેસ્ટ્રી વિભાગના વડા ડૉ. હિતેશભાઇ ડી. પટેલ, દિશા ફાઉન્ડેશન, વસરાઇના મંત્રીશ્રી મુકેશભાઇ મહેતા, સુરતના જાણીતા ઉધોગપતિ શ્રી.બિપિનભાઈ પટેલ, નિરજ પેટ્રોલિયમના શ્રી ગુણવંતભાઈ પટેલ, સમસ્ત ધોડિયા સમાજના મહામંત્રી શ્રી લાલજીભાઈ પટેલ, નવચેતન ધોડિયા સમાજ, વલસાડના શ્રી.સુમનભાઈ કેદારિયા, નવસારી ધોડિયા જ્ઞાતિ મંચના શ્રી અરૂણભાઇ અને અજીતભાઈ, ધોડિયા સમાજ સુરતના શ્રી દિનેશભાઇ તથા અન્ય મહાનુભાવો અને આજીવન સભ્યો ઉપસ્થિત રહયા હતા.

આજના આ દ્રિવાર્ષિક સંમેલન નિમિતે માન. ધારાસભ્યશ્રી નરેશભાઈ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી અને જયાં જયાં જરૂર પડે ત્યાં તેમનો સાથ સહકાર મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. પુર્વ આદિજાતિ અને વન મંત્રીશ્રી કાનજીભાઈ પટેલ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવીને ડૉ.બાબાસાહેબ આંબેડકરને કારણે આપણા સમાજની પ્રગતિ થયેલ હોવાનો ઉલ્લેખ કરીને બાબાસાહેબ ને હંમેશા યાદ રાખવા જોઇએ તેવો મત પ્રગટ કર્યો હતો.

મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈએ તેમના વકતવ્યમાં મંડળની પ્રવૃતિઓનો ચિતાર આપી આગામી પંદર વર્ષ માટે મંડળનું શિક્ષણ, આરોગ્ય, સંગઠન, રોજગારી જેવા ક્ષેત્રેમાં આયોજન રજુ કર્યું હતું અને મંડળ દ્વારા  આ ક્ષેત્રોની કામગીરીને અગ્રીમતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દ્વિવાર્ષિક સંમેલનના પ્રમુખ ડૉ. રીતાબેન દ્વારા તેમના વક્તવ્યની શરૂઆત જય આદિવાસી સાથે કરી હતી. મંડળની પ્રવૃતિઓથી અભિભૂત થઈને સમાજની દીકરીઓને પ્રેરણા મળે તે માટે તેમણે તેમની કારકિર્દી ની શરૂઆતથી અત્યાર સુધીની પ્રગતિ અંગે માહિતી આપી હતી તેઓએ આજના પ્રસંગને તેમના જીવનને યાદગાર પ્રસંગ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વલસાડ ડાંગના સાંસદ  ડૉ.કે.સી.પટેલ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવીને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત આ પ્રસંગે સમાજની ગૌરવશાળી પ્રતિભાઓ તથા અત્યંત તેજસ્વી તારલાઓ કે જેઓએ AIIMS, IIT, IIM જેવી દેશની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થાઆમાં પ્રવેશ મેળવનારને આદિવાસી સમાજની અત્યંત પ્રાચીન કલા “વારલીઆર્ટ” તથા અન્ય સ્મૃતિચિહનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


આ પ્રસંગે રાજકીય, સામાજીક, તેમજ સમાજના અગ્રણી ઉધોગપતિઓ અને વિશિષ્ટ હોદ્દો ધરાવતા નિવૃત તેમજ પ્રર્વતમાન હોદ્દેદારોની હાજરી ધ્યાનાકર્ષક બની રહેલ હતી સાથે જ સમાજનો બહોળો સુશિક્ષિત વર્ગ અને સરકારી અર્ધ સરકારી નોકરીમાં પ્રવૃત અધિકારીઓની હાજરીથી પ્રસંગ દીપી ઉઠેલ હતો. સમાજસેવાની ભાવના સાથે ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષિતવર્ગ ને પ્રોત્સાહન મળ્યું હતું.



અંતે મંડળનું દ્રિવાર્ષિક સંમેલન આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે સંપન્ન થયું હતું.

Comments

Popular posts from this blog

Navsari: માનનીય નવસારી કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ

Navsari: માનનીય નવસારી કલેકટરશ્રી સુશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની મિટીંગ યોજાઈ, જેમાં તા.10/06/2024 થી 29/06/2024 સુધી ચાલનારા "રક્તપિત્ત દર્દી શોધ અભિયાન" અંતર્ગત જરૂરી ચર્ચા કરવામાં આવી. #Leprosy #LeprosyAwareness @CMOGuj @InfoGujarat @GujHFWDept pic.twitter.com/mWtb2o12Ze — Collector & DM Navsari (@CollectorNav) June 8, 2024

Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

 Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

નારણપોર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

                 નારણપોર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આજરોજ તારીખ 05-09-2 023નાં દિને નારણપોર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.  ખેરગામ તાલુકાની  નારણપોર ગામ સ્થિત નારણપોર પ્રાથમિક શાળા ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમા શાળાના ધોરણ ૬થી૮ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ શિક્ષક બની ધોરણ ૧ થી ૮ મા શિક્ષણ કાર્ય કર્યું હતું. સૌ પ્રથમ પ્રાર્થના સંચાલન બાદ દરેક વિદ્યાર્થી મિત્રોએ સુંદર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. એક દિવસ માટે શિક્ષક બનવાનો અનેરો આનંદ મેળવ્યો હતો.