Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

         

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.

શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ, સુરખાઈનું ૧૭ મું દ્વિવાર્ષિક સંમેલન તા.૭/૧/૨૦૨૪ ને રવિવારના રોજ મળ્યું હતું. મંડળે સ્થાપના  ૩૫ વર્ષ પૂર્ણ કરી ૩૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. 

આજનું દ્વિવાર્ષિક સંમેલન ITBP, અરૂણાચલ પ્રદેશ ખાતે પેરા મિલેટરી ફોર્સના DIG (Medical) તરીકે ફરજો બજાવતા ધોડિયા સમાજના “નારી રત્ન” એવા શ્રીમતિ રીતાબેનના પ્રમુખ સ્થાને મળી હતી. 

તેમની સાથે તેમના પિતા અને ધોડિયા સમાજના પ્રથમ તબીબ એવા ડૉ. ગંભીરભાઈ  અને તેમના યુ.કે. સ્થિત ભાઈ રાજનભાઈ તેમના પત્ની શ્રીમતિ પ્રજ્ઞાબેન સાથે ઉપસ્થિત રહયા હતા. 

આ પ્રસંગે ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ-ડાંગ સંસદીય મત વિસ્તારના સંસદસભ્ય ડૉ. કે.સી.પટેલ, પૂર્વ આદિજાતિ અને વન મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉ.પ્રદીપ ગરાસિયા, પૂર્વ.ધારાસભ્ય શ્રીમતિ ભારતીબેન પટેલ, સામાજીક કાર્યકર શ્રી નરદેવભાઈ પટેલ, ધોડિયા મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડૉ.એ.જી.પટેલ, ગુજરાત યુનિ. ના કેમેસ્ટ્રી વિભાગના વડા ડૉ. હિતેશભાઇ ડી. પટેલ, દિશા ફાઉન્ડેશન, વસરાઇના મંત્રીશ્રી મુકેશભાઇ મહેતા, સુરતના જાણીતા ઉધોગપતિ શ્રી.બિપિનભાઈ પટેલ, નિરજ પેટ્રોલિયમના શ્રી ગુણવંતભાઈ પટેલ, સમસ્ત ધોડિયા સમાજના મહામંત્રી શ્રી લાલજીભાઈ પટેલ, નવચેતન ધોડિયા સમાજ, વલસાડના શ્રી.સુમનભાઈ કેદારિયા, નવસારી ધોડિયા જ્ઞાતિ મંચના શ્રી અરૂણભાઇ અને અજીતભાઈ, ધોડિયા સમાજ સુરતના શ્રી દિનેશભાઇ તથા અન્ય મહાનુભાવો અને આજીવન સભ્યો ઉપસ્થિત રહયા હતા.

આજના આ દ્રિવાર્ષિક સંમેલન નિમિતે માન. ધારાસભ્યશ્રી નરેશભાઈ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી અને જયાં જયાં જરૂર પડે ત્યાં તેમનો સાથ સહકાર મળતો રહેશે તેવી ખાતરી આપી હતી. પુર્વ આદિજાતિ અને વન મંત્રીશ્રી કાનજીભાઈ પટેલ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવીને ડૉ.બાબાસાહેબ આંબેડકરને કારણે આપણા સમાજની પ્રગતિ થયેલ હોવાનો ઉલ્લેખ કરીને બાબાસાહેબ ને હંમેશા યાદ રાખવા જોઇએ તેવો મત પ્રગટ કર્યો હતો.

મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈએ તેમના વકતવ્યમાં મંડળની પ્રવૃતિઓનો ચિતાર આપી આગામી પંદર વર્ષ માટે મંડળનું શિક્ષણ, આરોગ્ય, સંગઠન, રોજગારી જેવા ક્ષેત્રેમાં આયોજન રજુ કર્યું હતું અને મંડળ દ્વારા  આ ક્ષેત્રોની કામગીરીને અગ્રીમતા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

દ્વિવાર્ષિક સંમેલનના પ્રમુખ ડૉ. રીતાબેન દ્વારા તેમના વક્તવ્યની શરૂઆત જય આદિવાસી સાથે કરી હતી. મંડળની પ્રવૃતિઓથી અભિભૂત થઈને સમાજની દીકરીઓને પ્રેરણા મળે તે માટે તેમણે તેમની કારકિર્દી ની શરૂઆતથી અત્યાર સુધીની પ્રગતિ અંગે માહિતી આપી હતી તેઓએ આજના પ્રસંગને તેમના જીવનને યાદગાર પ્રસંગ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વલસાડ ડાંગના સાંસદ  ડૉ.કે.સી.પટેલ દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવીને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત આ પ્રસંગે સમાજની ગૌરવશાળી પ્રતિભાઓ તથા અત્યંત તેજસ્વી તારલાઓ કે જેઓએ AIIMS, IIT, IIM જેવી દેશની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થાઆમાં પ્રવેશ મેળવનારને આદિવાસી સમાજની અત્યંત પ્રાચીન કલા “વારલીઆર્ટ” તથા અન્ય સ્મૃતિચિહનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


આ પ્રસંગે રાજકીય, સામાજીક, તેમજ સમાજના અગ્રણી ઉધોગપતિઓ અને વિશિષ્ટ હોદ્દો ધરાવતા નિવૃત તેમજ પ્રર્વતમાન હોદ્દેદારોની હાજરી ધ્યાનાકર્ષક બની રહેલ હતી સાથે જ સમાજનો બહોળો સુશિક્ષિત વર્ગ અને સરકારી અર્ધ સરકારી નોકરીમાં પ્રવૃત અધિકારીઓની હાજરીથી પ્રસંગ દીપી ઉઠેલ હતો. સમાજસેવાની ભાવના સાથે ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષિતવર્ગ ને પ્રોત્સાહન મળ્યું હતું.



અંતે મંડળનું દ્રિવાર્ષિક સંમેલન આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે સંપન્ન થયું હતું.

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડ...