Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.
ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.
આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે.
આયોજક દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે.
ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ (dgvcl સર્કલ સેક્રેટરી), જયેશભાઈ પટેલ(LIC), દિવ્યેશભાઈ પટેલ(એગ્રો ખેરગામ), મહેશભાઈ(પાટી), જીજ્ઞેશભાઈ પટેલ(શિક્ષક), જીગ્નેશભાઈ, અનિલભાઈ, અશોકભાઈ, બ્રીજેશભાઈ જેવા આગેવાનોનો સમાવેશ થાય છે. જેઓ સમાજના સામજિક ઉત્થાન કાર્યક્રમ હોય કે સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, તેઓ પોતાનું યોગદાન આપવા હંમેશાં આગળ રહેતા હોય છે.
Comments
Post a Comment