Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

   


વલસાડમાં ૪ સ્થળે સામૂહિક સૂર્ય નમસ્કાર થયા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તિથલ બીચનો કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમો યોજાયા 

 વાપીમાં સાંસદ ડો. કે.સી.પટેલ અને નારગોલમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયા. 

નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભેર વલસાડવાસીઓએ સ્વાગત કર્યુ.


       ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત વલસાડ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વર્ષ ૨૦૨૪ના નવા વર્ષે તા. ૧ જાન્યુ.ના રોજ સામૂહિક “સૂર્ય નમસ્કાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. 


વલસાડના મોગરાવાડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૬૫૦ લોકોએ ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિથલ બીચ ખાતે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૯ લોકોએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ બંને સ્થળે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટેના યોજાયેલા કાર્યક્રમોમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધણીની પ્રક્રિયામાં પ્રતિનિધિઓ નિર્મલ બારોટ અને શ્રેયા પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. 


      આ સિવાય વાપીની આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે સાંસદશ્રી ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને ૧૦૩ લોકોએ અને ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ૨૬૦ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જિલ્લામાં ૧૧૨૨ લોકોએ ભાગ લઈ નવા વર્ષની સવારનું સૂર્ય નમસ્કાર સાથે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. 


રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા. ૦૧/૦૧/૨૦૨૪ ના રોજ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે વિજેતા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નવા વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરતાં અંદાજે ૨૫૦૦ લોકોની ઉપસ્થિતિમાં ૧૧ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકાઓ સહિત અન્ય પ્રતિષ્ઠિત જગ્યાઓ મળી કુલ ૧૦૮ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.





બોક્ષ મેટર 

સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં વલસાડ જિલ્લો રાજ્યમાં વલસાડ જિલ્લો બીજા ક્રમે 

કુલ નોંધણી

 ૬૯૭૦૪

વ્યકિતગત નોંધણી

 ૧૪૧૮૬

સંસ્થાકીય નોંધણી

 ૫૫૫૧૮

૦૯-૧૮ વર્ષ ગૃપ

 ૬૨૧૩૦

૧૮-૪૦ વર્ષ ગૃપ

 ૪૮૬૦

૪૧ વર્ષથી વધુ

 ૨૬૨૫

સ્રોત : માહિતી બ્યુરો: વલસાડ તા.૦૧ જાન્યુઆરી 

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...