Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ખેરગામ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ બજાર શરૂ કરાયું.

                


ખેરગામ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ બજાર શરૂ કરાયું.

પ્રાકૃતિક ખેત વેચાણ બજારથી આજે ૧૦ ખેડૂતો દ્વારા અંદાજીત ૧૧૧.૫૦ કિલો જેટલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ ની કુલ કિંમત રૂ. ૮૬૧૨ નું વેચાણ થયું હતુ. ઉપસ્થિત અગ્રણીઓએ તાજા ઝેરમુક્ત ખેત પેદાશોની ખરીદી કરી હતી ખેરગામ તાલુકાના ગ્રામજનોને પ્રાકૃતિક પધ્ધતિથી ઉત્પાદિત આરોગ્યપ્રદ ફળો, શાકભાજી અને વિવિધ ખેત પેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાને ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે અને ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતપેદાશોનું બજાર ઉભું થાય એવા જનજાગૃતિના શુભ આશય સાથે તા.૩૦ના રોજથી નવસારી જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગના સંયુક્ત પ્રયાસથી ખેરગામ તાલુકાના મુખ્ય મથક ખેરગામ- ધરમપુર રોડ, આસ્થા હોસ્પિટલની બાજુમાં, ખેરગામ ખાતે રસાયણ મુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ બજાર શરૂ કરવામાં આવ્યું હતું. 

ઉપર્યુક્ત બજાર પ્રાયોગિક ધોરણે અઠવાડિયાના શનિવારે સવારે ૯:૦૦ વાગ્યે થી ૧૨:૦૦ વગ્યા સુધી તેમજ સાંજે ૩:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ તબક્કાવાર વેચાણ વ્યવસ્થા માટે આયોજન કરવામાં આવશે. 

પ્રાકૃતિક ખેત વેચાણ બજારથી આજે ૧૦ ખેડૂતો દ્વારા અંદાજીત ૧૧૧.૫૦ કિલો જેટલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળની કુલ કિંમત રૂ. ૮૬૧૨નું વેચાણ થયું હતુ. 

તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસિયા, તાલુકા પંચાયત અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ પુર્વેશભાઈ ડી. ખાંડાવાલા, મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન, ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલ, વાડ ગામના આગેવાન ચેતનભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ, ખેરગામ પૂર્વ  સરપંચશ્રી કાર્તિકભાઈ પટેલ, બહેજ  ગામના આગેવાન અનિલભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબ સહિત અનેક આગેવાનો અધિકારીઓએ વેચાણ બજારની મુલાકાત લીધી હતી અને તાજા ઝેર મુક્ત ખેત પેદાશોની ખરીદી પણ કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા' નું નિધન.

     વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલનાં માતા 'મહાલક્ષ્મીબા 'નું તારીખ :૨૩_૦૨_૨૦૨૪નાં નિધન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે. 🙏🏻💐ૐ શાંતિ 💐🙏🏻

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

  Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

    Gandevi: અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.  તારીખ ૨૮-૦૨-૨૦૨૪નાં દિને અમલસાડ સરી કન્યા શાળા -૧ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬થી૮નાં બાળકો દ્વારા વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની દીકરીઓ આ  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રયોગોનો ડેમો રજૂ કર્યો હતો. સરકારશ્રીએ સરકારી શાળાઓમાં સાયન્સ લેબ શરૂ કરવાથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતાં થયા છે.