Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

  

 ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

તારીખ :૧૦-૦૧-૨ ૦૨૪નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું એસ.એમ.સી.ના અધ્યક્ષ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેમાં પાણી પૂરી, ગુલાબજાંબુ, ભેલ, ભજીયા, છાશ, ફ્રુટ સલાર્ડ, ખમણ જેવી ૨૨ જેટલી વાનગીઓના સ્ટોલ પર બાળકો દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નાણાંની લેવડદેવડ બાબતે કુશળતા  તેમજ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જેવી ગાણિતિક કૌશલ્યનો વિકાસ થાય એ હેતુસર આનંદ મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. બાળકોના વાલીઓ, બાળકો અને શિક્ષકોએ અવનવી વાનગીઓની મઝા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ મુખ્ય શિક્ષક હસમુખભાઈ પટેલે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.





Comments