Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
નાંધઈ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
તારીખ : ૨૯-૧૨-૨૦૨૩ થી ૦૧-૦૧-૨૦૨૪ દરમ્યાન નાંધઈ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે. આ પ્રવાસમાં ૪૮ બાળકો અને તમામ શિક્ષકોનો સમાવેશ થાય છે.
દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર, શિવરાજપર બીચ, માધવપુર બીચ, સોમનાથ જ્યોતિર્લિંગ, ભાલકા તીર્થ, જૂનાગઢમાં દામોદર કુંડ, અશોક રાજાનો શિલાલેખ, ગિરનાર પર દત્તાત્રેય શિખર, ખોડલધામ, વિરપુર, અને સાળંગપુર ધામની મુલાકાત કરી શાળા તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રવાસ દરમ્યાન બાળકો ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસથી માહિતગાર થયા હતા. જે ચિરકાળ સુધી સ્મરણીય રહેશે.
Comments
Post a Comment