Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

    

અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

અમલસાડ સરી કન્યાશાળા-૧ એ શિક્ષણ જગતમાં આગવી પહેલ પહેલ શરૂ કરી છે. જેઓ એક વર્ષથી 'પારિજાત' નામનું સામયિક ચલાવે છે. જેના સંપાદક મંડળના સભ્યો  શાળાનાં બાળકો છે. જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. 

શાળાનાં આચાર્યશ્રી અજુવેન્દ્રભાઇ પટેલનાં જણાવ્યા અનુસાર  'પારિજાત'  ઈ- સામાયિક અને સોફ્ટ કોપી (અંક)  એમ બન્ને પ્રકારે વાચકો‌ સુધી પહોંચાડવામાં આવે છે. 

આ સામાયિકની સોફ્ટ કોપી(અંક)ના  માસિક લવાજમ ફી ૨૦ રુપિયા પ્રમાણે ૧૦ માસની વાર્ષિક ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ૧૦ અંક માસવાર છાપવામાં આવે છે આ સામયિકના કુલ આઠ(૮) પેજ છે.

કુલ 50 હાર્ડ કોપી શાળાના એસએમસી સભ્યો, વાલીઓ તાલુકાના અન્ય શાળાના મુખ્ય શિક્ષકશ્રી તાલુકા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને હાર્ડ કોપી દર માસે મોકલવામાં આવે છે.સભ્ય સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને વધતી જાય છે સૌપ્રથમ 25 અંક થી શરૂઆત કરી હતી જે આજે 50 અંક સુધી પહોંચી છે.

આ સામયિકમાં શાળામાં માસ દરમ્યાન થયેલ કાર્યકમો ફળશ્રુતિ રૂપે બાળકો દ્વારા આલેખન કરી ઈ-સામયિક અને અંક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.  જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મૌલિક બાળગીતો, બાળવાર્તા, જોડકણાં, ટૂચકાઓ પ્રગટ કરવામાં આવે છે. જે બાળકોની મૌલિક સર્જનશક્તિનો વિકાસ કરે છે. શાળાનાં પુસ્તકાલયના પુસ્તકોનું વાચન કરી તેમાંથી સારાંશને અવતરણ રૂપે રજૂ કરે છે. બાળકો  વર્તમાનપત્રોની બાળપૂર્તિનો અભ્યાસ કરી તેમાંથી સુવિચારોને આ ઈ-સામયિકમાં સ્થાન આપવામાં આવે છે. દરબરોજ યોજાતા કાર્યક્રમોનું દસ્તાવેજીકરણ કરી માસના અંતે ઈ-સામયિક બહાર પાડવામાં આવે છે. જેમાં માસ દરમ્યાન યોજાયેલી તમામ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. 



આ સામયિક પ્રકાશિત બહાર પાડવા પાછળ શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્રભાઈ પટેલનું યોગદાન વિશેષ રહ્યું છે.પણ તેમની શિક્ષણ પાછળની રુચિ અને બાળકોને શિક્ષણમાં કેવી રીતે ઓતપ્રોત રાખવા તેની નાડ પારખી કયા બાળકોને શેમાં રસ છે તે પ્રમાણે બાળકોને કાર્યક્રમોમાં જોડે છે.તેમજ શાળાનાં શિક્ષકો પણ આ સામયિક પ્રકાશિત કરવામાં માટે રસ અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દર માસે અલગ અલગ શિક્ષકોને જે તે માસની માહિતી ભેગી કરવા માટે કામ સોંપવામાં આવ્યું છે. શિક્ષકો સામયિકમાં ફોટા એડ કરવા સુધી કાર્યભાર સંભાળે છે.


આ સામયિકમાં રમતગમતની, શાળાની પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્ગની પ્રવૃત્તિઓ, પ્રાર્થના સંમેલનમાં યોજાતા વિશેષ દિવસોની ઉજવણી, તહેવારોની ઉજવણી, પ્રવાસ પર્યટન, વાલીસંમેલન,  વિવિધ સ્પર્ધાઓ, આજનું ગુલાબ (જન્મ દિવસની ઉજવણી),વિવિધ ઉત્સવોના ફોટોગ્રાફ સહિત અહેવાલ રજૂ કરવામાં આવે છે. આ સામયિકમાં શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા તૈયાર કરેલ લેખ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 
તેમજ જે તે માસના નવસારી જીલ્લાના શૈક્ષણિક સમાચારોને પણ આ સામયિકમાં સમાવેશ કરવામાં આવે છે. આ સામયિકમાં જે તે લેખના લેખક સહિત મુદ્રણ કરવામાં આવે છે.

બાળકો પણ આ સામયિકમાં છાપવા માટે અવનવી સાહિત્ય સામગ્રી શોધવાનો પ્રયાસ કરે છે. જે તેને નવું નવું વાચન કરવા મજબૂર કરે છે. દર માસે નવી નવી બાબતો શોધવા માટે બાળકો સોશ્યલ મીડિયા, વર્તમાનપત્રો, પુસ્તકાલયનો ઉપયોગ કરી માહિતી ભેગી કરી એકબીજા સાથે વિચારવિમર્શ કરી સામયિકમાં કઈ કઈ બાબતોને સમાવેશ કરવો તેની વિગતે ચર્ચા કરવા પ્રેરાય છે. જેથી બાળકોમાં સંઘભાવના વધે છે. એકબીજાની ભૂલો તરફ ધ્યાન દોરી સુધારવાનો પ્રયત્ન કરવા પ્રેરાય છે. આ સામયિકમાં પેજની સંખ્યા ઓછી હોવાથી બાળકોએ એટલી બધી માહિતી તૈયાર કરી હોય છે કે દર માસે માહિતી તૈયાર કરનાર દરેક બાળકને ન્યાય આપી શકાતો નથી. પરંતુ કોઈ પણ બાળક રહી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. 'મારી કલમે ' શીર્ષક હેઠળના પેજ પર બાળકોની કૃતિ છાપવામાં આવે છે. 

આ શાળાએ ચાલુ કરેલ આ નવો અભિગમ બાળકો માટે  પ્રોત્સાહન  આપનારો છે. ભવિષ્યના કવિઓ, લેખકો, પત્રકારો, વિચારકો, વાર્તાકાર, હાસ્યકાર,સાહિત્યકાર, નવકથાકાર, કથાકાર, તત્વચિંતક, ગ્રાફિક ડિઝાઇનર, તૈયાર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે ભલે તેમની બૌધિકતા પ્રમાણે કદાચ લેખનમાં વ્યાકરણ બાબતે થોડી કચાશ રહી પણ શકે.પરંતુ તેઓ નાનપણની પ્રવૃત્તિઓને તેઓ ભવિષ્યમાં તેનો ઉપયોગ વ્યવસાયિક ક્ષેત્રે કે કારકિર્દી બનાવવા માટે વરદાનરૂપ સાબિત થશે. 


Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024