Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

    

અમલસાડ સરી કન્યાશાળા-૧ ની શિક્ષણ જગતમાં 'પારિજાત' સામયિક દ્વારા ભવિષ્યના લેખક, કવિ, વાર્તાકાર કે પત્રકાર બનાવવાં તરફ આગેકૂચ.

અમલસાડ સરી કન્યાશાળા-૧ એ શિક્ષણ જગતમાં આગવી પહેલ પહેલ શરૂ કરી છે. જેઓ એક વર્ષથી 'પારિજાત' નામનું સામયિક ચલાવે છે. જેના સંપાદક મંડળના સભ્યો  શાળાનાં બાળકો છે. જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. 

શાળાનાં આચાર્યશ્રી અજુવેન્દ્રભાઇ પટેલનાં જણાવ્યા અનુસાર  'પારિજાત'  ઈ- સામાયિક અને સોફ્ટ કોપી (અંક)  એમ બન્ને પ્રકારે વાચકો‌ સુધી પહોંચાડવામાં આવે છે. 

આ સામાયિકની સોફ્ટ કોપી(અંક)ના  માસિક લવાજમ ફી ૨૦ રુપિયા પ્રમાણે ૧૦ માસની વાર્ષિક ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ૧૦ અંક માસવાર છાપવામાં આવે છે આ સામયિકના કુલ આઠ(૮) પેજ છે.

કુલ 50 હાર્ડ કોપી શાળાના એસએમસી સભ્યો, વાલીઓ તાલુકાના અન્ય શાળાના મુખ્ય શિક્ષકશ્રી તાલુકા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને હાર્ડ કોપી દર માસે મોકલવામાં આવે છે.સભ્ય સંખ્યા ધીમે ધીમે વધી રહી છે અને વધતી જાય છે સૌપ્રથમ 25 અંક થી શરૂઆત કરી હતી જે આજે 50 અંક સુધી પહોંચી છે.

આ સામયિકમાં શાળામાં માસ દરમ્યાન થયેલ કાર્યકમો ફળશ્રુતિ રૂપે બાળકો દ્વારા આલેખન કરી ઈ-સામયિક અને અંક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.  જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ મૌલિક બાળગીતો, બાળવાર્તા, જોડકણાં, ટૂચકાઓ પ્રગટ કરવામાં આવે છે. જે બાળકોની મૌલિક સર્જનશક્તિનો વિકાસ કરે છે. શાળાનાં પુસ્તકાલયના પુસ્તકોનું વાચન કરી તેમાંથી સારાંશને અવતરણ રૂપે રજૂ કરે છે. બાળકો  વર્તમાનપત્રોની બાળપૂર્તિનો અભ્યાસ કરી તેમાંથી સુવિચારોને આ ઈ-સામયિકમાં સ્થાન આપવામાં આવે છે. દરબરોજ યોજાતા કાર્યક્રમોનું દસ્તાવેજીકરણ કરી માસના અંતે ઈ-સામયિક બહાર પાડવામાં આવે છે. જેમાં માસ દરમ્યાન યોજાયેલી તમામ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. 



આ સામયિક પ્રકાશિત બહાર પાડવા પાછળ શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્રભાઈ પટેલનું યોગદાન વિશેષ રહ્યું છે.પણ તેમની શિક્ષણ પાછળની રુચિ અને બાળકોને શિક્ષણમાં કેવી રીતે ઓતપ્રોત રાખવા તેની નાડ પારખી કયા બાળકોને શેમાં રસ છે તે પ્રમાણે બાળકોને કાર્યક્રમોમાં જોડે છે.તેમજ શાળાનાં શિક્ષકો પણ આ સામયિક પ્રકાશિત કરવામાં માટે રસ અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દર માસે અલગ અલગ શિક્ષકોને જે તે માસની માહિતી ભેગી કરવા માટે કામ સોંપવામાં આવ્યું છે. શિક્ષકો સામયિકમાં ફોટા એડ કરવા સુધી કાર્યભાર સંભાળે છે.


આ સામયિકમાં રમતગમતની, શાળાની પ્રવૃતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્ગની પ્રવૃત્તિઓ, પ્રાર્થના સંમેલનમાં યોજાતા વિશેષ દિવસોની ઉજવણી, તહેવારોની ઉજવણી, પ્રવાસ પર્યટન, વાલીસંમેલન,  વિવિધ સ્પર્ધાઓ, આજનું ગુલાબ (જન્મ દિવસની ઉજવણી),વિવિધ ઉત્સવોના ફોટોગ્રાફ સહિત અહેવાલ રજૂ કરવામાં આવે છે. આ સામયિકમાં શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યો દ્વારા તૈયાર કરેલ લેખ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 
તેમજ જે તે માસના નવસારી જીલ્લાના શૈક્ષણિક સમાચારોને પણ આ સામયિકમાં સમાવેશ કરવામાં આવે છે. આ સામયિકમાં જે તે લેખના લેખક સહિત મુદ્રણ કરવામાં આવે છે.

બાળકો પણ આ સામયિકમાં છાપવા માટે અવનવી સાહિત્ય સામગ્રી શોધવાનો પ્રયાસ કરે છે. જે તેને નવું નવું વાચન કરવા મજબૂર કરે છે. દર માસે નવી નવી બાબતો શોધવા માટે બાળકો સોશ્યલ મીડિયા, વર્તમાનપત્રો, પુસ્તકાલયનો ઉપયોગ કરી માહિતી ભેગી કરી એકબીજા સાથે વિચારવિમર્શ કરી સામયિકમાં કઈ કઈ બાબતોને સમાવેશ કરવો તેની વિગતે ચર્ચા કરવા પ્રેરાય છે. જેથી બાળકોમાં સંઘભાવના વધે છે. એકબીજાની ભૂલો તરફ ધ્યાન દોરી સુધારવાનો પ્રયત્ન કરવા પ્રેરાય છે. આ સામયિકમાં પેજની સંખ્યા ઓછી હોવાથી બાળકોએ એટલી બધી માહિતી તૈયાર કરી હોય છે કે દર માસે માહિતી તૈયાર કરનાર દરેક બાળકને ન્યાય આપી શકાતો નથી. પરંતુ કોઈ પણ બાળક રહી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. 'મારી કલમે ' શીર્ષક હેઠળના પેજ પર બાળકોની કૃતિ છાપવામાં આવે છે. 

આ શાળાએ ચાલુ કરેલ આ નવો અભિગમ બાળકો માટે  પ્રોત્સાહન  આપનારો છે. ભવિષ્યના કવિઓ, લેખકો, પત્રકારો, વિચારકો, વાર્તાકાર, હાસ્યકાર,સાહિત્યકાર, નવકથાકાર, કથાકાર, તત્વચિંતક, ગ્રાફિક ડિઝાઇનર, તૈયાર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે ભલે તેમની બૌધિકતા પ્રમાણે કદાચ લેખનમાં વ્યાકરણ બાબતે થોડી કચાશ રહી પણ શકે.પરંતુ તેઓ નાનપણની પ્રવૃત્તિઓને તેઓ ભવિષ્યમાં તેનો ઉપયોગ વ્યવસાયિક ક્ષેત્રે કે કારકિર્દી બનાવવા માટે વરદાનરૂપ સાબિત થશે. 


Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામનું વાર્ષિક સ્નેહ સંમેલન ખેરગામ ખાતે યોજાયું.

શ્રી ધોડિયા પટેલ પ્રગતિ મંડળ ખેરગામની વાર્ષિક સ્નેહ સંમેલન (શિવ શક્તિ ફાર્મ)  ખેરગામ ખાતે યોજાયું. જેમાં સૌ પ્રથમ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  પ્રમુખ સ્થાનેથી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા સમાજભવન શા માટે જરૂરી છે? તેની વિગતવાર સમજ આપવામા આવી હતી. સમજ ભવનનો ઉપયોગ ફક્ત કોમર્શિયલ પૂરતો નહિ પરંતુ સમાજની ભાવી પેઢીના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. જ્યારે સમાજ ભવનમાં  દાખલ થતી વખતે સમાજનો કોઈપણ વ્યક્તિ કેમ ન કોઈ મોટાં હોદ્દા પર હોય ? તેણે પણ ભવનમાં દાખલ થતી વખતે તેનો હોદ્દો ત્યજીને ફકત એક સમાજનો સભ્ય ( ફકત હું ધોડિયો છું) એવા ભાવ સાથે દાખલ થવાની વાત કરી હતી. નવા વરાયેલા મંડળનાં તમામ હોદ્દેદારોને સમાજના નાનામાં નાનો માણસને પણ સાથે લઈને ચાલવાની વાત કરી હતી. જેથી તેમના હ્રદયમાં પણ 'મારો સમાજ'ની ભાવના પેદા થશે. તેમણે મંડળની પ્રગતિ માટે રાજકારણથી દૂર રહેવાની નમ્ર સલાહ આપી હતી. આદિજાતિ વિભાગના ડેપ્યુટી કમિશનરશ્રી સુરેશભાઈ ગરાસિયા સાહેબ દ્વારા પણ સમાજના ઉત્કર્ષ માટે જ્યાં જરૂર પડશે ત્યાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ખેરગામ જનતા કેળવણી મંડ...