Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
ચીખલી તાલુકાના વિદ્યામંદિર સાદકપોર પ્રાથમિક શાળાની નર્સરીની મુલાકાત સાથે વનભોજન યોજાયું.
તારીખ :૧૦-૦૧-૨ ૦૨૪નાં દિને વિદ્યામંદિર સાદકપોર પ્રાથમિક શાળા દ્વારા M.K . ફાર્મ નર્સરીમાં શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો,S.M.Cના સભ્યો, ગામજનો, સાદકપોર કેન્દ્ર શાળા પરિવાર, વગેરે માટે વનભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા વનભોજનની સાથે સાથે બાળકોને ફાર્મ નર્સરી મુલાકાત અને રમતગમતનો આનંદ વિદ્યાર્થીઓએ માણ્યો હતો. બહોળી સંખ્યામાં આ વનભોજનમાં સૌ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જે બદલ આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શાળા પરિવાર સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ પટેલ અને ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment