Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

વલસાડ અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન વર્ષ ૨૦૨૩માં ૨૯૫૫ પીડિત મહિલાઓને વ્હારે આવી.

      

વલસાડ અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન વર્ષ ૨૦૨૩માં ૨૯૫૫ પીડિત મહિલાઓને વ્હારે આવી.

 ૬૩૯  કેસમાં અભયમ રેસક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાઓનો બચાવ કર્યો.

 ૨૪ કલાક સેવા આપતી અભયમ સેવા પીડિત મહિલાઓ માટે સાચી સહેલી બની.  

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંકલિત રીતે તા. ૮ માર્ચ ૨૦૧૫ના રોજ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્ય વ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩માં સમગ્ર વર્ષ દરમિયાન ૨૯૫૫ કેસમાં અભયમ ટીમે મહિલાઓનો બચાવ કરી સહાયતા પુરૂ પાડી છે. 

મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીના સમયે તાત્કાલિક ધોરણે બચાવ સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. પીડિત મહિલાઓ માટે અભયમ એક સાચી સહેલી તરીકે દિન પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે. ૨૪*૭ કલાક વિનામૂલ્યે અપાતી સેવાઓ  મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ બની છે. લગ્ન જીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલેહ શાંતિ વધારવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ સાથે કાર્ય સ્થળે થતી શારીરિક, માનસિક કે જાતીય સતામણીને લગતી બાબતો, જાતીય તેમજ બાળ જન્મ અને આરોગ્યને લગતી બાબતોમાં સુખદ સેવાઓ આપવામાં આવી રહી છે. 

આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી હેરાનગતિ, પેરેંટિંગ ઇસ્યુ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકોના પ્રશ્નો, પાડોશી સાથેના ઝઘડાઓ અને તરુણાવસ્થાના પ્રશ્નોમાં અભયમ હંમેશા પીડિતાની પડખે ઊભી રહી છે. આ ઉપરાંત ઘરેથી કાઢી મુકેલી મહિલા, ગૃહ ત્યાગ કે ભુલી પડેલી મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુધી પહોંચાડ્યા છે અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં મદદરૂપ થઈ છે. એટલે જ તો મહિલાઓ અભયમ ટીમમાં વિશ્વાસ રાખી પોતાની અંગત સમસ્યાઓના હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પ લાઈનની મદદ મેળવતી થઈ છે. જિંદગીના વિખવાદો દૂર કરી મહિલાઓમાં એક નવી આશા  જગાડી છે. વર્ષ દરમિયાન પીડિત મહિલા મહિલાઓએ મદદ માટે ૨૯૫૫ જેટલા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કૉલ કર્યા હતા જેમાંથી ૬૩૯  કેસમાં અભયમ રેસક્યુ વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાઓનો બચાવ અને સહાયતા પહોંચાડી હતી. બાકીના  કેસમાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી મદદરૂપ બની છે.

માહિતી સ્રોત : INFO VALSAD GOG

Comments

Popular posts from this blog

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

ખેરગામ કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

                       ખેરગામ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં  ખેરગામ, શામળા ફળિયા, બહેજ, પાટી અને પાણીખડક એમ પાંચ સી.આર.સીની કુલ ૩૫ એન્ટ્રી આવી હતી. જેમાં વિભાગ -૧  ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તા કથનમાં બહેજ પ્રાથમિક શાળાની ભવ્યા વિપુલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૨ પ્રીપેટરી સ્ટેજ વાર્તા કથનમાં નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધૃવ ઉદયભાઈ પટેલ પ્રથમ ક્રમાંક, વિભાગ - ૩ મિડલ સ્ટેજ વાર્તા નિર્માણમાં કન્યા શાળા ખેરગામની વિદ્યાર્થિની ધ્રુવી સુનિલભાઈ પટેલ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.                           જ્યારે સંગીતવાદન સ્પર્ધામાં બંધાડ  ફળિયા પ્રાથમિક આછવણીનો વિદ્યાર્થી કેવલ્ય જયેશભાઇ પટેલ ધોરણ -૮ નો પ્રથમ ક્રમાંક, સંગીતગાયન સ્પર્ધામાં દેશમુખ  ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરીની વિદ્યાર્થિની યુતિકા  સુનિલભાઈ ગાંગોડા ધોરણ -૮ પ્રથમ ક્રમાંક, ચિત્ર સ્પર્ધામાં વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાની  વિદ્યાર્થિની અર્ચના કે પટેલ ધોરણ -૮ પ...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...