Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Khergam (Panikhadak School): ખેરગામ તાલુકાની પાણીખડક પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

        

Khergam (Panikhadak School): ખેરગામ તાલુકાની પાણીખડક પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

નવસારી જિલ્લા પંચાયત  શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી પાણીખડક પ્રાથમિક શાળામાં આજે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્દઘાટન એસ.એમ.સી.નાં સભ્ય વૈશાલીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓએ ઘરેથી અનેક વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી લાવ્યા હતા.  જેમાં વિધાર્થીઓએ કુલ  ૩૨ જેટલી વાનગીઓનાં પોતપોતાના સ્ટોલ લગાવ્યા હતા. જેમાં ફ્રેન્ચ ફ્રાયસ, ચાઇનીઝ ભેલ, મસાલા છાશ, લીંબુ શરબત, મમરા ભેલ, કટલેસ, કોલ્ડ્રીન્સ, ગાજરનો હલવો, ગુલાબ જાંબુ, ચણા દાળ ભેલ, ખીચું, પાઉંભાજી, ભૂંગળા બટાટા, બટાટા પૌંઆ, ઇડળા, વડાપાઉં, ફ્રુટ ડીશ, પાતરાં, પાતરાંના ભજિયાં, બટાટા સમોસા જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.

આ તમામ વાનગીઓનું  બાળકોએ જાતે જ તેનું વેચાણ કર્યું હતું. બાળકોએ પોતે બનાવેલ વાનગીના ખર્ચનો તથા વાનગીના વેચાણ બાદ મળેલી રકમનો હિસાબ કરે, અને એના આધારે નફા-ખોટની ગણતરી કરે એ મુખ્ય હેતુ આ પ્રવૃત્તિ દ્વારા શાળામાં સિદ્ધ કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ શાળાનાં આચાર્યશ્રી કાશ્મીરાબેન પટેલ સહિત તમામ સ્ટાફે  બાળકોના સ્ટોલ પરથી અવનવી વાનગીઓની  ખરીદી કરી સ્વાદની મજા માણી હતી. આ કાર્યક્રમમાં એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

શાળાના મુખ્ય શિક્ષકશ્રી  કાશ્મીરાબેન પટેલે ભાગ લીધેલા બાળકોને, ઉપસ્થિત વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.





Comments