Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
Khergam : ખેરગામ ગામના રોહિતવાસ ફળિયાના રસ્તાનું નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું.
ખેરગામના આછવણી રોડ ઉપર આવેલા આછવણી મેઈન રસ્તાથી રોહિતવાસ ફળિયામાં બળવંતભાઈ ચૌહાણના ઘર સુધી જતો અંદાજિત ૪૦૦ મીટરનો રસ્તો છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ જતા ફળિયાવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. રસ્તાનું નવીનીકરણ માટે સ્થાનિક અગ્રણી આશિષ ચૌહાણે ગયા વર્ષે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પટેલને રજૂઆત કરી હતી. જેથી એટીવીટી યોજનામાંથી ડામર રસ્તો મંજૂર કરાવવાની આગળની કાર્યવાહી કરી હતી અને તાજેતરમાં જ ડામર રસ્તા માટે સરકારમાંથી વહીવટી મંજૂરી મળતા રસ્તાનું ખાતમુહૂર્ત થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી, ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જિગ્નેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment