Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

   

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે.

૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ : 

ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી ઇતિહાસના પાઠ ભણાવતી વખતે આ સિક્કા સમજણ માટે દર્શાવતા વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસ સમજી રહ્યા છે. 

વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે તથા આપણો ઇતિહાસ કેવો હતો આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓને સમજાવવા માટે કેલીયા પ્રાથમિક શાળાના શિક્ષક હેમંત પટેલે અનોખો આઈડિયા અપનાવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે હડપ્પીય સંસ્કૃતિ, મુઘલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજ, ટીપુ સુલતાનના સમયના તામ્ર અને ચાંદીના દુર્લભ સિક્કાઓ 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અમૂલ્ય ખજાનો ભેગો કરી વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનો વિષય આસાન કર્યો .છે જેને લઇ વિદ્યાર્થીઓ પણ સરળતાથી ઇતિહાસને સમજી શકે છે.

Innovation fair file image 

સિક્કા સંગ્રહનું અભૂતપૂર્વ કલેક્શન ભેગું કરનાર શિક્ષક હેમંતભાઈ પટેલ જણાવે છે કે વિદ્યાર્થીઓ સરળતાથી સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ સમજી શકે અને આ વિષયમાં રુચિ વધે તે હેતુસર મને સિક્કા સંગ્રહનો વિચાર આવ્યો હતો. કારણ કે ઇતિહાસ જાણવાનો મુખ્ય આધારભૂત સ્રોત સિક્કાઓ છે.

તેમણે સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુના આધારે સિક્કાઓનો સંગ્રહ કરવાની શરૂઆત 2019થી કરી હતી .જેમાં જૂનો સમય સમજાવવા માટે પંચમાર્કના સિક્કા રજવાડી શાસન સમજાવવા માટે જે તે શાસનકાળના સિક્કા, બ્રિટિશ શાસન સમજાવવા માટે બ્રિટિશ સમયના સિક્કા, સ્વતંત્ર ભારતનો ઇતિહાસ સમજાવવા માટે દેશ નેતા અને ક્રાંતિવીરની છાપવાળા સિક્કા અને ઐતિહાસિક ઘટના સમજાવવા માટેના સિક્કા જેમાં આજે તેમની પાસે ઈ.સ. 500 થી લઈને 2024 સુધીના 362 જેટલા ચલણી સિક્કા અને 48 જેટલી જુદા જુદા દેશોની ચલણી નોટો છે.

હેમંતભાઈ પટેલ પાસે જોવા મળતાં સિક્કાઓમાં હડપ્પીયન સંસ્કૃતિના સિક્કા 1, ગઢઈયા રાજના સિક્કા 1, મુગલ કાલીન ચાંદીના સિક્કા 3, મુઘલકાલીન તાંબાના સિક્કા 25, કચ્છના સામ્રાજ્યના સિક્કા 15, મારવાડના સિક્કા 2, સિંધે સામ્રાજયના સિક્કા 2, ભોંસલે સામ્રાજ્યના સિક્કા 3, અંગ્રેજ સામ્રાજ્યના ચાંદીના સિક્કા 25, અંગ્રેજ સામ્રાજ્યના તાંબાના સિક્કાઓ 32 રોય સ્ટેજના સિક્કા 2 અને શિવાજીના સમયના સિક્કા 3.  સંખ્યામાં જોવા મળે છે.

જ્યારે ભારત દેશ 1947માં  આઝાદ થયો ત્યાર પછીના સમયના એટલે કે આઝાદી પછીના સિક્કાઓની વિવિધતાનો  સંગ્રહ તેમની પાસે છે. જેમાં સ્લોગન આધારિત સિક્કાઓ 76, દેશ નેતાઓના સિક્કાઓ 57, વિદેશના સિક્કાઓ 37, વિદેશની ચલણી નોટો 16, વિવિધ પ્રકારના સિક્કાઓ 47 અને જૂની ચલણી નોટો 15ની સંખ્યામાં સંગ્રહ કરેલી જોવા મળે છે.

શ્રી હેમંતભાઈ પટેલની  ન્યૂઝ ચેનલો, YouTube news, તેમજ બ્લોગર્સએ પણ નોંધ લીધી છે. જેની લિંક નીચે આપવામાં આવી છે.

Divya Bhaskar.com

ETV BHARAT. COM 

tv13gujarati.com 

gujarati.news18.com

public.app 

NTC NEWS NAVSARI 

KHERGAM DAINIK NEWS

Khergam blogger 

KHERGAM BLOGGER POST

KCEDUINFO


Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024