Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહર્ત કરાયું :

 નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહર્ત કરાયું :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૮: ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ભવનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. 

અહીં શાળાના ૮ ઓરડાઓ કે જે અંદાજીત રૂ. ૧.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર છે, જેનું ધારાસભ્યશ્રીએ ખાતમુહર્ત કર્યું હતું. 

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી તરફથી મળેલી વિગતો અનુસાર, આહવા તાલુકાની પિંપરી પ્રાથમિક શાળા ખાતે કુલ આઠ જેટલા ઓરડાની ઘટ પ્રવર્તે છે. આ ઓરડાના બાંધકામ બાબતે સને ૨૦૨૦/૨૧ માં 'નાબાર્ડ યોજના' અંતર્ગત સમગ્ર શિક્ષા-ગાંધીનગર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર ભરેલ ન હોઇ, બાંધકામ પ્રક્રિયામાં વિલંબ થવા પામ્યો હતો.

આ ઓરડાને લઈને પિંપરીના ગ્રામજનોએ ગત તા.૩/૬/૨૦૨૪ ના રોજ રૂબરૂમાં લેખિત અરજી પણ સબંધિત વિભાગને આપી હતી. જે ખાસ કિસ્સા તરીકે મંજૂરી અર્થે ગાંધીનગર મોકલવામાં આવી હતી.

સબબ, શાળા કાર્યના પ્રથમ દિવસે ગ્રામજનોએ દેખાવ કરતાં, શાળા કાર્યની અગત્યતા જોતા, ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે સબંધિત અધિકારીઓને હકારાત્મક નિકાલ માટેની સૂચના આપી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પણ, ગ્રામજનો સાથે સંવાદ સાધી, ઓરડા બાંધકામ બાબતે હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જે બાદ તારીખ ૧૭ જૂનનાં રોજ શ્રી વિજયભાઇ પટેલે સ્થાનિક આગેવાનો સાથે શાળાના મકાનનું ખાતમુહર્ત કરતાં ગ્રામજનોમાં આંનદની લાગણી છવાઇ હતી.  

નવી શિક્ષણ નીતિ સાથે સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓને નવી દિશા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ થશે, તેમ શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

-

*નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે પિંપરી પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમુહર્ત કરાયું : - (ડાંગ માહિતી બ્યુરો):...

Posted by Info Dang GoG on Tuesday, June 18, 2024

Comments

Popular posts from this blog

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ.

Navsari :"વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess "વિકાસ સપ્તાહ" અંતર્ગત માન. કલેક્ટરશ્રી, નવસારી અને પોલીસ અધિક્ષકશ્રી, નવસારી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess Posted by Ddo Navsari on  Thursday, October 17, 2024