Skip to main content

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Dhrampur (Valsad) :ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  Dhrampur (Valsad) :ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.


માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન 

ગુજરાત સરકારના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા ક્ક્ષાનો શનિ – રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. 

જેમાં મુખ્યત્વે રાસ, ગરબા, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, માણભટ્ટ, કઠ્ઠપુતળી, શેરી નાટક, લોકડાયરો ભારતીય સંસ્કૃતિને પ્રતિબિંબીત કરતા નાટકો, સામાજિક સંદેશ આપતા નાટકો વગેરે વધુને વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી ધરમપુરના બામટી ગામમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય કાનુરબર્ડા પ્રાથમિક શાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ.જોષી, મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાનુરબર્ડા પ્રાથમિક શાળા દ્વારા સ્વાગત ગીત, આદર્શ નિવાસી શાળા દ્વારા આદિવાસી લોકનૃત્ય, ઈ.એમ.આર.એસ.કપરાડા દ્વારા ગરબા અને ઓમકાર કલાવૃંદ દ્વારા લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ૩૫૦ જેટલી જનસંખ્યાએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિહાળ્યો હતો. 


ધરમપુરના બામટી ગામમાં શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન ગુજરાત સરકારના કમિશ્નરશ્રી,...

Posted by INFO Valsad GOV on Monday, June 24, 2024

Comments